SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૬. જ્યારે ઝરતી નાવમાં આંધળો માણસ ચડે છે અને તે પાર જવા ઇચ્છે છે, પણ તે અધવચ્ચે ડૂબી જાય છે. , પર૭. હે મિથ્યાત્વી અનાર્ય શ્રમણ ! ભવિષ્યમાં આવતા મોટા ભય વડે કે સંકટ વડે મોટો શોક પામીશ. પ૨૮. આ ધર્મનો અંગીકાર કરે આમ કાશ્યપ મુનિએ કહ્યું છે. તેથી તું સંસારના મહાઘોર પ્રવાહને તરી જઈશ. તું અધ્યાત્મ વિચરતો રહે. પ૨૯. જે કોઈ આ લોકમાં જીવે છે, તે ગ્રામધર્મથી વિરતિ લે. ત્યાં જાતે વિચાર કરી, જરા પણ થોભવાનું વર્જ. પ૩૦. પંડિત જ્યારે જાણે કે બહુ જ માન અને માયા થાય છે ત્યારે આ સઘળાને ત્યાગ અને મુનિ નિર્વાણ સાંધે. ૫૩૧. સમ્યફધર્મથી જોડાય અને પાપી ધર્મને છોડે. તપના બળથી મુનિ ક્રોધ અને માનને ત્યાગે. પ૩૨. જે બુદ્ધ થઈ ગયા છે અને ભવિષ્યમાં થશે, તેઓએ આ જગમાં રહેતાં જીવોમાં શાંતિ સ્થાપી છે અને સ્થાપશે પણ. પ૩૩. હવે અહીં જ વંટોળિયું આવ્યું છે, તે ઉચ્ચ અને નીચ માણસોને (જીવોને) અડે છે. જેમ વાયુથી પર્વત ન હલે તેમ તું તેથી હણાય નહિ તે વિચાર. પ૩૪. વીર સુવતી મુનિ પોતાને આપેલું જ ખાય. કાળની ઇચ્છા કરી નિવૃત્તિ લે. આ છે કેવળી ભગવાનનો મત. આમ હું કહું છું. અગિયારમું અધ્યયન સમાપ્ત થયું.
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy