SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ રહીને પ્રચાર કરનારા, જ્યાં તત્ત્વ ઉપર વધારે ભાર મૂકવાથી તે ધર્મોવાળા ધીરે ધીરે મૂળ ચૂસ્તતા ઉપરથી ખસશે ? વગેરે પ્રકારની ગોઠવણ કરી લીધી છે. એટલે દરેક ધર્મવાળા પોતપોતાની સંખ્યા વધારવાની ધમાચકડીમાં પડે અને પછી એ કાર્ય બંધ કરવામાં આવે. કેમ કે “જગતમાં વિશ્વધર્મ એક જ જોઈએ.” એ ભાવના જ ધમાચકડી બંધ પાડી દેશે અને “તે માટે કયો ધર્મ લાયક છે ?” એ પ્રશ્ન પછી આવી જ રીતે નવી હિલચાલનું અંગ બની જતાં ધમાધમી બંધ પડતાં ખ્રિસ્તી ધર્મમાં મોટી સંખ્યા ચાલી ગયેલી માલૂમ પડશે. બીજા ધર્મમાંથી તે તે બીજા ધર્મોમાં થોડા થોડા કે ઘણા કામચલાઉ દાખલા થયા હોય, પરંતુ તે ધર્મોના ચુસ્ત લોકો ખ્રિસ્તીમાં કે બીજા જેમાં જેમાં દાખલ થઈ ગયા હોય, તે બધું ઢીલું થતાં દરેક ધર્મોમાં ખરા ચુસ્ત લોકો ઘણા જ ઓછા રહે, એ સ્વાભાવિક છે. લાગવગ, બેકારી, પૈસાની છૂટ, કાયદા, પ્રચારની યુક્તિ, બહોળા સાધનો, જાહેરસભાઓ વગેરેથી ખ્રિસ્તી ધર્મવાળા ખૂબ વધી જાય, એ સ્વાભાવિક છે. રાજામહારાજાઓ, મોટા અમલદારો વગેરે પણ એ તરફ દોરાય. એવા લોકો ખાસ અમલદાર બને, કેટલાક વ્યામૂઢ ધર્મગુરુઓ પણ મનથી તો દોરાયા હોય, એટલે પ્રજાનો કેટલોક ભાગ પણ દોરાય જ. માટે સંખ્યા વધારવાની ધમાધમમાં પડવું એટલે “વંશવારસાથી અસ્થિમજજા-ચુસ્તોની સંખ્યા ગુમાવવી, ને અચુસ્તોની અદ્ભવ સંખ્યા ઉમેરવી.” સગવડિયા દૃષ્ટિથી ધર્મમાં દાખલ થયેલા બીજેથી સગવડ મળે, તો બીજે ચાલ્યા જાય, એ
SR No.022550
Book TitleSyadvad Ane Sarvagnata
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2005
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy