SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ નિંદા વિના પરદેશીઓ દ્વારા નવા તરીકે ગણાવેલા જીવનને સ્થાન શી રીતે આપી શકાય ? ભણીને બહાર પડેલાને છાપામાં એ જ વાંચવા મળે, સભામાં એ જ સાંભળવા મળે. તેથી તેઓ શી રીતે આર્ય સંસ્કૃતિની ખૂબી સમજી શકે ? આ વિષમતા અદ્યાપિ છે, છતાં પ્રજાનો મોટો ભાગ આર્યસંસ્કૃતિ પ્રમાણે આજે જીવે છે-અને કેળવાયેલા ગણાતા વર્ગને પણ અમુક અમુક બાબતમાં કોઈને કોઈ વખતે તે પ્રમાણે જીવવું પડે છે. એ જ આર્યસંસ્કૃતિ આજે પણ જીવંત હોવાનો પુરાવો છે. માટે તેનો આશ્રય એ રેતીનો ઢગલો નથી, પરંતુ ખરેખરું બચાવનું સાધન છે. આર્યસંસ્કૃતિ પ્રમાણે પ્રજા જો લાંબો કાળ જીવિત રહેશે, તો પોકળ પાયા પર ખડું થયેલું હાલનું વિજ્ઞાન આખર થાકી જશે. શિકારીઓને ભાગી જવું પડશે અને આશ્રય સ્થાન છોડી દેવાની શિકારીઓની વતી જ શિખામણ આપનારા દેશબાંધવોને પણ ચૂપ થવું પડશે. (ગર્ભાશયનું ઑપરેશન થયા પછી તે ભાગ કાયમ માટે નાશ પામે છે. અંગો કુદરત સિવાય કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. ત્યારે ચક વગેરે આયુર્વેદિક વિજ્ઞાન કાયચિકિત્સાથી તેમાંનો રોગ કાઢી નાંખે છે. સર્જરી એટલે વાઢ-કાપ, પણ કાય ચિકિત્સા=ફિઝીક્સન તેનાથી વધારે ચડિયાતી વિદ્યા છે. જેને કાયચિકિત્સા નથી આવડતી તે વાઢકાપ કરે છે. વાઢકાપ એ હાડવૈઘોનો ધંધો છે. યુરોપના એ ધંધાદારીઓને વિશેષ મોટું ૫૫
SR No.022550
Book TitleSyadvad Ane Sarvagnata
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2005
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy