SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જેમ જેમ આ દેશની જમીન ઉપર ચાલતાં યંત્રોથી ઉત્પન્ન થયેલો માલ બજારમાં આવતો જાય, તેમ તેમ સ્વદેશી કહીને પ્રજા “મેઈડ ઈન ઇંડિયા'નો ઘણી જ દૃષ્ટિઓથી નક્કી કરેલો માર્કો જોતી જાય ને ખરીદ કરતી જાય. હવે અહીં કેટલાક કહેશે કે—“તમારી આ કલ્પના ભૂલભરેલી છે. કેમ કે દેશના આગેવાનોએ તો શુદ્ધ સ્વદેશી માલ વાપરવાની જ ભલામણ કરી છે. આપણા દેશના લોકો એવા અણસમજુ છે કે મિલનો માલ સ્વદેશી સમજીને ખરીદે છે.” અમારી કલ્પના ભૂલભરેલી નથી. દેશના આગેવાનો શુદ્ધ સ્વદેશીની ભલામણ કરે અથવા તેમની પાસે એવી ભલામણ કરાવવામાં આવે, તો જ શુદ્ધ કે અશુદ્ધ પણ કોઈપણ પ્રકારના સ્વદેશી ઉપર જ પ્રજાનું મન કેન્દ્રિત થાય. “મોતને વળગવામાં આવે તો તાવ આવે’ એવી આપણી કહેવત છે, તે અહીં બરાબર લાગુ પડેછે. મુત્સદ્દીઓ દરેક કામ એ રીતે જ કરે છે. અર્થાત્ “પરદેશથી આવતા માલને બદલે આપણે આપણા દેશમાં બનતો શુદ્ધ સ્વદેશી જ માલ વાપરવો જોઈએ’ એવી દેશમાં ઘોષણા કરતા જાય, તેમ તેમ એક વર્ગ વાતોમાં ભળતો પણ જાય, કે (એવો વર્ગ ઉત્પન્ન કરવો પણ જોઈએ) જે સ્થળે સ્થળે શુદ્ધ સ્વદેશીનો સંદેશો પહોંચાડે, પરંતુ તે વર્ગ પણ કાપડ સિવાય કોઈપણ વસ્તુ શુદ્ધ સ્વદેશી વાપરતો હતો જ નહીં, કેમ કે તેમની પણ જરૂરિયાતો અને માનસ તો વિલાયતી જ હતાં. માત્ર તેમનો વિલાયતી લોકોએ આ રીતે ઉપયોગ કર્યો. પેન્સિલને બદલે તેઓએ કલમ વાપરી નથી. મોટર, રેલવેને ૨૭
SR No.022550
Book TitleSyadvad Ane Sarvagnata
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2005
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy