SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ3. તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮| સૂત્ર-૨૧, ૨૨ ગુણસ્થાનકમાં સૂક્ષ્મ મોહનો ઉદય હોવા છતાં મોહનો બંધ નથી માટે નવમા ગુણસ્થાનકના અંતે જઘન્ય મોહની સ્થિતિનો બંધ છે. ક્ષુલ્લક આયુષ્ય બાંધનારા જઘન્ય અંતર્મુહૂર્ત આયુષ્ય બાંધે છે. વળી અંતરાયકર્મ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે. દશમા ગુણસ્થાનકના અંતકાળમાં અંતર્મુહૂર્ત સ્થિતિવાળું અંતરાયકર્મ બાંધે છે. II૮/૨૧ાા અવતરણિકા : उक्तः स्थितिबन्धः । अनुभावबन्धं वक्ष्यामः - અવતરણિયાર્થ: સ્થિતિબંધ કહેવાયો, હવે અનુભાવબંધ કહેવાય છે =કર્મનો વિપાક એ રૂપ અનુભાવ તેને અનુકૂળ એવો બંધ અમે કહીએ છીએ – ભાવાર્થ પૂર્વમાં કર્મની સ્થિતિનો બંધ શું છે ? તે બતાવ્યું. હવે અનુભાવબંધ બતાવે છે. તેમાં અનુભાવ એટલે કાર્ય અર્થાતુ બંધાયેલી પ્રકૃતિનું વિપાક દ્વારા પ્રાપ્ત થતું કાર્ય. તે કાર્યને પ્રગટ કરે તેવી શક્તિ તે તે કર્મોમાં વિદ્યમાન છે. તે શક્તિરૂપ જે બંધ છે તે અનુભાવબંધ છે. તે અનુભાવબંધને કહે છે – સૂત્ર : विपाकोऽनुभावः ।।८/२२।। સૂત્રાર્થ : વિપાક અનુભાવ છે. IIટ/રચા ભાષ્ય : सर्वासां प्रकृतीनां फलं विपाकोदयोऽनुभावो भवतीति । विविधः पाको विपाकः, स तथा चान्यथा चेत्यर्थः । जीवः कर्मविपाकमनुभवन् कर्मप्रत्ययमेवानाभोगवीर्यपूर्वकं कर्मसंक्रमं करोति । उत्तरप्रकृतिषु सर्वासु मूलप्रकृत्यभिन्नासु, न तु मूलप्रकृतिषु सङ्क्रमो विद्यते, बन्धविपाकनिमित्तान्यजातीयकत्वात् । उत्तरप्रकृतिषु च दर्शनचारित्रमोहनीययोः सम्यग्मिथ्यात्ववेदनीयस्यायुष्कस्य च जात्यन्तरानुबन्धविपाकनिमित्तान्यजातीयकत्वादेव सङ्क्रमो न विद्यते । अपवर्तनं तु सर्वासां प्रकृतीनां વિઘ ા તાયુગ ચાડ્યા (૨, . ૧ર) પાટી ર૨ા. ભાષ્યાર્થ : સર્વાસ વ્યાયામ્ સર્વ પ્રકૃતિઓનું ફળ એવો વિપાકોદય એ અનુભાવ છે.
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy