SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩અધ્યાય-૧| સૂત્ર-૨, ૩ ભાવાર્થ : સરોવરમાં પાણીને લાવવા માટે કે બહાર કાઢવા માટે છિદ્ર હોય છે. આ છિદ્રથી સરોવરમાં પાણીને અંદર આનયન થાય છે તે અથવા સરોવરમાંથી છિદ્ર દ્વારા પાણીને બહાર નિર્વહણ થાય છે તે છિદ્ર પાણીના આસવણનું કારણ છે તેમ મન, વચનને કાયાને અવલંબીને થતો જીવનો વ્યાપાર આત્મક યોગ કર્મયુગલોનું આત્મામાં આસ્રવણ કરનાર છે. તેથી સલિલસ્થાનીય કર્મનું આસવણ મન, વચન, કાયાના યોગરૂપ છિદ્રથી થાય છે. માટે મન, વચન, કાયાનો યોગ આશ્રવ છે. આ મન, વચન, કાયાનો યોગ - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા કષાયના સંશ્લેષવાળો હોય ત્યારે તે મિથ્યાત્વાદિ ભાવોના પ્રકર્ષને અનુરૂપ તે તે કર્મોનો આશ્રવ થાય છે. મિથ્યાત્વાદિ ભાવોના અપકર્ષથી તે તે પ્રકારના અપકર્ષવાળું કર્મ થાય છે. વળી યોગની અલ્પતાને કારણે અને યોગની અતિશયતાને કારણે તેને અનુરૂપ અપકર્ષ કે ઉત્કર્ષવાળો કર્મબંધ થાય છે. આથી જ એકેન્દ્રિય જીવોને માત્ર કાયયોગ છે, તેમને વચનયોગ અને મનોયોગ નથી. વળી, કાયયોગ પણ અતિઅલ્પ છે. તેથી અલ્પ કર્મબંધની પ્રાપ્તિ છે તોપણ તે અલ્પ કાયયોગમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનો સંશ્લેષ જેટલો ગાઢ છે તેને અનુરૂપ અત્યંત કર્મબંધ થાય છે. આથી જ એકેન્દ્રિયાદિક જીવો ગાઢ જ્ઞાનાવરણીય, ગાઢ મોહનીયના પરિણામોને ઉત્પન્ન કરે તેવાં ક્લિષ્ટ કર્મ બાંધે છે. Iક/શા અવતરણિકા : પૂર્વમાં મન, વચન, કાયાના યોગ આશ્રવ છે એમ કહ્યું અને તે યોગ શુભ-અશુભરૂપ છે એમ કહ્યું. તેથી હવે શુભયોગ શેનો આશ્રવ છે? તેને કહે છે – સૂત્ર: સુમ પુષ0 T૬/રૂા સૂત્રાર્થ: શુભયોગ પુણ્યનો આશ્રવ છે. IIS/3 ભાષ્યઃ शुभो योगः पुण्यस्यास्त्रवो भवति ।।६/३।। ભાષ્યાર્થ: ગુમ... મતિ | શુભયોગ પુણ્યનો આશ્રવ થાય છે. ભાવાર્થ - મન, વચન અને કાયાના યોગરૂપ જે આશ્રવ છે તે આશ્રવનો પરિણામ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ,
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy