SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂક-૩૩, ૩૪ પ્રકારના પોતાના અનુગ્રહ માટે અને સુશ્રાવકો ધર્મની પ્રવૃત્તિ સુખપૂર્વક કરી શકે તે પ્રકારના પરાનુગ્રહ માટે જે શ્રાવકોને દાન અપાય છે તે દાન શાતાવેદનીયકર્મબંધનું કારણ છે. વળી ઉપલક્ષણથી અનુકંપા પાત્ર જીવોને પણ જે દાન અપાય છે તે શાતાવેદનીયબંધનું કારણ છે તેનું ગ્રહણ થાય છે. તે દાન દ્વારા શ્રાવક પોતાના આત્મા ઉપર અનુગ્રહ કરે છે; કેમ કે તે દાન દ્વારા પોતાનું દયાળુ ચિત્ત વૃદ્ધિ પામે છે. જે દીનાદિને દાન આપે છે તે દાનથી તેઓને આહારાદિની પ્રાપ્તિરૂપ અનુગ્રહ થાય છે અને તેઓની યોગ્યતાને અનુરૂપ બીજાધાનાદિની પ્રાપ્તિ પણ થાય છે તેથી તે પ્રકારના પરાનુગ્રહ માટે પણ દાન અપાય છે. II૭/૩૩ ભાષ્ય : વિષ્ય – ભાષ્યાર્થ : પૂર્વસૂત્રમાં દાનનું સ્વરૂપ બતાવ્યું, હવે તે દાનથી થનારા ફલવિશેષ પ્રત્યે કોણ કારણ છે ? તે બતાવવા અર્થે કહે છે – સૂત્ર : વિધિદ્રવ્યતૃષાત્રવિશેષાદ્ધિશેષ: T૭/રૂા. સૂત્રાર્થ : વિધિવિશેષ, દ્રવ્યવિશેષ, દાતૃવિશેષ અને પાત્રવિશેષથી તેનો વિશેષ છે=દાનનો વિશેષ છે. Il૭/૩૪TI ભાષ્ય : विधिविशेषाद् द्रव्यविशेषाद् दातृविशेषात् पात्रविशेषाच्च तस्य दानधर्मस्य विशेषो भवति तद्विशेषाच्च फलविशेषः । तत्र विधिविशेषो नाम देशकालसम्पच्श्रद्धासत्कारक्रमाः कल्पनीयत्वमित्येवमादिः, द्रव्यविशेषः अनादीनामेव सारजातिगुणोत्कर्षयोगः, दातृविशेषः प्रतिग्रहीतर्यनसूया, त्यागेविषादः, अपरिभाविता, दित्सतो ददतो दत्तवतश्च प्रीतियोगः, कुशलाभिसन्धिता, दृष्टफलानपेक्षिता, निरुपधत्वम् अनिदानत्वमिति, पात्रविशेषः सम्यग्दर्शनज्ञानचारित्रतपःसम्पन्नता इति તા૭/૩૪ इति तत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसङ्ग्रहे सप्तमोऽध्यायः समाप्तः ।। ભાષ્યાર્થ :વિથિવિશેષારિ I વિધિવિશેષથી, દ્રવ્યવિશેષથી, દાવિશેષથી, પાત્રવિશેષથી તે દાનધર્મનો
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy