SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈનદર્શન દૃષ્ટિઓ વસ્તુવરૂપથી પરામુખ હેવાના કારણે મિથ્યા અને વિસંવાદિની બની જાય છે. આમ વસ્તુના અનન્તધર્માત્મક સ્વરૂપને કેન્દ્રમાં રાખીને તેના ગ્રાહક વિભિન્ન “દષ્ટિકોણ'ના અર્થમાં જો દર્શન શબ્દનો વ્યવહાર માનવામાં આવે તો તે બધી રીતે સાર્થક બની શકે છે. જ્યારે જગતનો પ્રત્યેક પદાર્થ સત-અસત, નિત્યઅનિત્ય, એક-અનેક આદિ પરસ્પર વિરોધી વિભિન્ન ધર્મોનું અવિરોધી ક્રીડાસ્થળ છે ત્યારે તેમના ગ્રાહક વિભિન્ન દૃષ્ટિકોણોને પરસ્પર ટકરાવાનો અવસર જ નથી. તેમણે પરસ્પર તેવી જ રીતે સદ્ભાવ અને સહિષ્ણુતાથી વર્તવું જોઈએ જેવી રીતે તેમના વિષયભૂત અનન્ત ધર્મો વસ્તુમાં અવિરોધી ભાવથી સમાઈને રહે છે. દર્શન અર્થાત ભાવનાત્મક સાક્ષાત્કાર તાત્પર્ય એ કે વિભિન્ન દર્શનકાર ઋષિઓએ પોતપોતાના દષ્ટિકોણોથી વસ્તુના સ્વરૂપને જાણવાની ચેષ્ટા કરી છે અને તેનું વારંવાર મનન, ચિન્તન અને નિદિધ્યાસન કર્યું છે. તેનું એ સ્વાભાવિક ફળ છે કે તેમને પોતાની બલવતી ભાવના અનુસાર વસ્તુનું તે સ્વરૂપ સ્પષ્ટ પ્રકટ થયું અને દેખાયું. ભાવનાત્મક સાક્ષાત્કારના બળે ભક્તને ભગવાનનું દર્શન થાય છે, એની અનેક ઘટનાઓ સાંભળવામાં આવે છે. શોક યા કામની તીવ્ર પરિણતિ હોતાં મૃત ઈષ્ટજન અને પ્રિય કામિનીનું સ્પષ્ટ દર્શન અનુભવનો વિષય જ છે.' કાલિદાસનો યક્ષ પોતાની ભાવનાના બળે મેઘને સન્ડેશવાહક બનાવે છે અને તેનામાં દૂતત્વનું સ્પષ્ટ દર્શન કરે છે. ગોસ્વામી તુલસીદાસને ભક્તિ અને ભગવદ્ગુણોની પ્રકૃષ્ટ ભાવનાના બળે ચિત્રકૂટમાં ભગવાન રામના દર્શન અવશ્ય થયાં હશે. આજ ભક્તોની અગણિત પરંપરા પોતાની તીવ્રતમ પ્રકૃષ્ટ ભાવનાના પરિપાકથી પોતાના આરાધ્યનું સ્પષ્ટ દર્શન કરે છે, એ વિશેષ સદેહની વાત નથી. આમ પોતાના લક્ષ્ય અને દષ્ટિકોણની પ્રકૃષ્ટ ભાવનાથી વિશ્વના પદાર્થોનું સ્પષ્ટ દર્શન વિભિન્ન દર્શનકાર ઋષિઓને થયું હશે એ નિઃસંદેહ છે, તેથી આ “ભાવનાત્મક સાક્ષાત્કાર'ના અર્થમાં “દર્શન’ શબ્દનો પ્રયોગ થયો છે એવું હૃદયને લાગે છે અને સંભવ પણ છે. ફલિતાર્થ એ છે કે પ્રત્યેક દર્શનકાર ઋષિએ પહેલાં ચેતન અને જડના સ્વરૂપને, તેમના પરસ્પર સંબંધને અને દશ્ય જગતની વ્યવસ્થાના મર્મને જાણવાનો પોતાનો દૃષ્ટિકોણ બનાવી લીધો, પછી તેની સતત ચિન્તન-મનનધારાના પરિપાકથી જે તત્ત્વસાક્ષાત્કારની પ્રકૃષ્ટ १. कामशोकभयोन्मादचौरस्वप्नायुपप्लुताः । અમૂતાન પરથતિ પુરતોડવસ્થિતાનિવ | પ્રમાણવાર્તિક, ૨.૨૮૨.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy