SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું પ્રકરણ જૈન દાર્શનિક સાહિત્ય આ પ્રકરણમાં મુખ્યપણે તે પ્રાચીન જૈન દાર્શનિકોનો (અને મૂળ જૈન દર્શનગ્રન્થોનો) નામોલ્લેખ કરવામાં આવશે જેમના ગ્રન્થો કોઈ ને કોઈ ભંડારમાં ઉપલબ્ધ છે કે પ્રકાશિત છે. તે ગ્રન્થો અને ગ્રન્થકારોનો નિર્દેશ પણ યથાસંભવ કરવાનો પ્રયત્ન કરીશું કે જેમના ગ્રન્થો ઉપલબ્ધ તો નથી પરંતુ અન્ય ગ્રન્થોમાં જેમનાં ઉદ્ધરણો મળે છે યા નિર્દેશો મળે છે. આમાં અનેક ગ્રન્થકારોના સમયની શતાબ્દી આનુમાનિક છે અને તેમના પર્વાપર્યમાં ક્યાંક વ્યત્યય પણ હોઈ શકે છે, પરંતુ અહીં તો માત્ર એ વાતની ચેષ્ટા કરવામાં આવી છે કે ઉપલબ્ધ અને સૂચિત પ્રાચીન મૂલ દાર્શનિક સાહિત્યનો સામાન્ય નિર્દેશ અવશ્ય થઈ જાય. આ પુસ્તકના પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન' નામના પ્રકરણમાં જૈનદર્શનનાં મૂળ બીજ જે સિદ્ધાન્તગ્રન્થોમાં અને આગમગ્રન્થોમાં મળે છે તેમનું સામાન્ય વિવરણ દેવાઈ ચૂક્યું છે, તેથી અહીં તેમનો નિર્દેશ કર્યા વિના ઉમાસ્વાતિ(ગૃધ્રપિચ્છ)ના તત્ત્વાર્થસૂત્રથી જ આ સૂચિનો પ્રારંભ કરીએ છીએ. દિગમ્બર આચાર્ય ઉમાસ્વાતિ (વિ.૧-૩જી) તત્ત્વાર્થસૂત્ર પ્રકાશિત સમન્તભદ્ર (વિ.૨-૩જી) આપ્તમીમાંસા પ્રકાશિત યુજ્યનુશાસન બૃહસ્વયંભૂસ્તોત્ર પ્રકાશિત જીવસિદ્ધિ પાર્શ્વનાથચરિત્રમાં વાદિસજ દ્વારા ઉલિખિત. પ્રકાશિત ' ૧. શ્રીવર્ણાગ્રન્થમાલા બનારસમાં સંકલિત ગ્રન્થસૂચિના આધારે
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy