SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ૪૨૭ બુદ્ધને શાશ્વતવાદનો જો ભય હતો તો ઉચ્છેદવાદને પણ તે ઇચ્છતા તો હતા જ નહિ. તે તત્ત્વને ન તો શાશ્વત કહેતા હતા કે ન તો ઉચ્છિન્ન. તેમણે તત્ત્વના સ્વરૂપને બે “ન' દ્વારા વર્ણવ્યું છે, જ્યારે તેનું વિધ્યાત્મક સ્વરૂપ તો ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મક જ ઘટી શકે છે. બુદ્ધ તો કહે છે કે ન તો વસ્તુ નિત્ય છે કે ન તો સર્વથા ઉચ્છિન્ન, જ્યારે પ્રજ્ઞાકર ગુપ્ત વિધાન કરે છે કે યા તો વસ્તુને નિત્ય માનો યા ક્ષણિક અર્થાત્ ઉચ્છિન્ન. ક્ષણિકનો અર્થ મેં ઉચ્છિન્ન જાણીજોઈને એટલા માટે કર્યો છે કેમ કે એવું ક્ષણિક કે જેની મૌલિકતા અને અસંકરતાની કોઈ ગેરંટી નથી તે ઉચ્છિન્ન સિવાય બીજું શું હોઈ શકે ? વર્તમાન ક્ષણમાં અતીતના સંસ્કારનું અને ભવિષ્યની યોગ્યતાનું હોવું એ જ તો પ્રીવ્યત્વની વ્યાખ્યા છે. અતીતનો સદૂભાવ તો કોઈ પણ માની શકતું નથી અને ભવિષ્યનો સદૂભાવ પણ કોઈ માની શકતું નથી. દ્રવ્યને સૈકાલિક પણ આ જ અર્થમાં કહેવામાં આવે છે કે તે અતીતમાંથી પ્રવાહમાન થતું થતું વર્તમાન સુધી આવ્યું છે અને આગળની મંજિલની તૈયારી કરી રહ્યું છે. અચંટ કહે છે કે જે રૂપથી ઉત્પાદ અને વ્યય છે તે રૂપથી ધ્રૌવ્ય નથી. તેમની તે વાત તો બરાબર છે, પરંતુ તે જે કહે છે કે તે બંને રૂપ એક ધર્મીમાં રહી શકતાં નથી તે કેવી રીતે? જ્યારે બધા પ્રમાણો તે અનન્તધર્માત્મક વસ્તુની સાક્ષી આપી રહ્યાં છે ત્યારે તેનો આંગળી હલાવીને નિષેધ કેવી રીતે કરી શકાય ? यस्मिन्नेव तु सन्ताने आहिता कर्मवासना । फलं तत्रैव सन्धत्ते कार्पासे रक्तता यथा ॥ કર્મ અને કર્મફળને એક અધિકરણમાં સિદ્ધ કરનારું આ પ્રમાણ સ્પષ્ટ કહી રહ્યું છે કે જે સત્તાનમાં કર્મવાસના એટલે કે કર્મના સંસ્કાર પડે છે તેમાં જ ફળનું અનુસંધાન થાય છે, જેમ કે કપાસના જે બીજમાં લાક્ષારસનું સિંચન કરવામાં આવ્યું હોય તે બીજમાંથી ઉત્પન્ન થનારો કપાસ (રૂ) લાલ રંગનો હોય છે. આ બધું શું છે? સન્તાન એક સન્તન્યમાન તત્ત્વ છે જે પૂર્વ અને ઉત્તરને જોડે છે અને તે પૂર્વ અને ઉત્તર પરિવર્તિત થાય છે. આને જ તો જૈનો “ધ્રૌવ્ય' શબ્દથી વર્ણવે છે જેના કારણે દ્રવ્ય અનાદિ-અનન્ત પરિવર્તમાન રહે છે. દ્રવ્ય એક આક્રેડિત અખંડ મૌલિક છે. તેનો પોતાના ધર્મો સાથે કથંચિત્ ભેદભેદ યા કથંચિત તાદાભ્ય સંબંધ છે. અભેદ એટલા માટે કેમ કે દ્રવ્યથી તે ધર્મોને અલગ કરી શકાતા નથી, તેમનું પૃથકકરણ અશક્ય છે. ભેદ એટલા માટે કેમ કે દ્રવ્ય અને પર્યાયોમાં સંજ્ઞા, સંખ્યા, સ્વલક્ષણ અને પ્રયોજન આદિની વિવિધતા મળે છે. અર્ચટને તો આના પર પણ આપત્તિ છે. તે લખે છે કે દ્રવ્ય અને પર્યાયમાં સંખ્યાદિના ભેદે ભેદ માનવો ઉચિત
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy