SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪00 જૈનદર્શન દ્વિતીય ભંગ - ઘટનું નાસ્તિત્વ ઘટભિન્ન સઘળા પરપદાર્થોના દ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ છે કેમ કે ઘટ અને પરપદાર્થમાં ભેદની પ્રતીતિ પ્રમાણસિદ્ધ છે. તૃતીય ભંગ - જ્યારે ઘડાના બંને સ્વરૂપો યુગપત્ વિવક્ષિત હોય છે ત્યારે કોઈ એવો શબ્દ નથી જે બંનેને મુખ્યભાવે એક સાથે કહી શકે, તેથી ઘડો અવક્તવ્ય છે. આગળના ચાર ભંગો સંયોગજ છે અને તેઓ આ ત્રણ ભગોની ક્રમિક વિવક્ષા પર સામૂહિક દષ્ટિ હોતાં બને છે. જેમ કે - ચતુર્થ ભંગ - અસ્તિ-નાસ્તિ ઉભયરૂપ છે. પ્રથમ ક્ષણમાં સ્વચતુષ્ટયની અને દ્વિતીય ક્ષણમાં પરચતુષ્ટયની ક્રમિક વિવલા હોતાં અને બંને પર સામૂહિક દષ્ટિ રહેતાં ઘટ ઉભયાત્મક છે. પાંચમો ભંગ - પ્રથમ ક્ષણમાં સ્વચતુષ્ટયની અને દ્વિતીય ક્ષણમાં યુગપતુ સ્વપરચતુષ્ટયરૂપ અવક્તવ્યની ક્રમિક વિચક્ષા હોતા અને બંને ક્ષણો પર સામૂહિક દષ્ટિ રહેતાં ઘટ સ્યાદ્ અસ્તિ અવક્તવ્ય છે. છઠ્ઠો ભંગ - સ્યાદ્ નાસ્તિ અવક્તવ્ય છે. પ્રથમ ક્ષણમાં પરચતુષ્ટયની અને બીજા ક્ષણમાં અવક્તવ્યની ક્રમિક વિચક્ષા હોતાં અને બંને ક્ષણો પર સામૂહિક દૃષ્ટિ રહેતાં ઘડો ચા નાસ્તિ અવક્તવ્ય છે. તેથી “ઘટ’ શબ્દનો અર્થ જુદો છે તથા કુટ આદિ શબ્દોના અર્થો જુદા છે. ઘટન ક્રિયાના કારણે ઘટ છે તથા કુટિલ હોવાથી કુટ છે. તેથી જે સમયે ઘડો ઘટન ક્રિયામાં પરિણત હોય તે જ સમયે તેને ઘટ કહેવો જોઈએ. એટલા માટે ઘટન ક્રિયામાં કર્તારૂપે ઉપયુક્ત થનારું સ્વરૂપ સ્વાત્મા છે અને અન્ય પરાત્મા છે. જો ઇતર રૂપથી પણ ઘટ કહેવામાં આવે તો પટાદિમાં પણ ઘટવ્યવહાર થવો જોઈએ. આ રીતે તો બધા પદાર્થો એક શબ્દના વાચ્ય બની જાય. (૯) “ઘટ' શબ્દના પ્રયોગ પછી ઉત્પન્ન થતો ઘટજ્ઞાનાકાર સ્વાત્મા છે કેમ કે તે જ અંતરંગ છે અને અહેય છે, બાહ્ય ઘટાકાર પરાત્મા છે. તેથી ઘટ ઉપયોગાકારથી છે, અન્યથી નથી. (૧૦) ચૈતન્ય શક્તિના બે આકાર હોય છે – એક જ્ઞાનાકાર અને બીજો શેયાકાર. પ્રતિબિમ્બશૂન્ય દર્પણ જેવો જ્ઞાનાકાર છે અને પ્રતિબિમ્બ દર્પણ જેવો શેયાકાર છે. તે બેમાંથી જોયાકાર સ્વાત્મા છે કેમ કે ઘટાકારજ્ઞાનથી જ ઘટવ્યવહાર થાય છે. જ્ઞાનાકાર પરાત્મા છે કેમ કે તે સર્વસાધારણ છે. જો જ્ઞાનાકારથી ઘટ માનવામાં આવે તો પટાદિજ્ઞાનકાળે પણ ઘટવ્યવહાર થવો જોઈએ. જો શૈયાકારથી પણ ઘટ “નાસ્તિ' મનાય તો ઘટવ્યવહાર નિરાધાર બની જાય.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy