SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન છે તે જૈન પરંપરાના વર્ણન સાથે ઘણું મળતું આવે છે. ભાગવતમાં જૈન ધર્મના સંસ્થાપક તરીકે ઋષભદેવનો ઉલ્લેખ હોવો અને આઠમા અવતાર તરીકે તેમનો સ્વીકાર થવો એ એ વાતની સાક્ષી છે કે ઋષભદેવ જૈનધર્મના સંસ્થાપક હોવાની અનુશ્રુતિ નિર્મૂળ નથી. બૌદ્ધ દર્શનના ગ્રન્થોમાં દૃષ્ટાન્તાભાસ યા પૂર્વપક્ષના રૂપમાં જૈન ધર્મના પ્રવર્તક અને સ્યાદ્વાદના ઉપદેશક તરીકે ઋષભ અને વર્ધમાનના જ નામોલ્લેખો મળે છે. ધર્મોત્તર આચાર્ય તો ઋષભ, વર્ધમાન આદિને દિગમ્બરોના શાસ્તા કહે છે. ઋષભદેવે મૂલ અહિંસાધર્મનો આદ્ય ઉપદેશ આપ્યો અને આ જ અહિંસાની સ્થાયી પ્રતિષ્ઠા માટે તેના આધારભૂત તત્ત્વજ્ઞાનનું પણ નિરૂપણ કર્યું. તેમણે સમસ્ત આત્માઓને સ્વતંત્ર પરિપૂર્ણ અને અખંડ મૌલિક દ્રવ્ય માનીને પોતાની જેમ જગતના સર્વ પ્રાણીઓના જીવવાના સમાન અધિકારનો સ્વીકાર કર્યો અને અહિંસાની સર્વોદયી સ્વરૂપની સંજીવની જગતને આપી. વિચારના ક્ષેત્રમાં અહિંસાના માનસ રૂપની પ્રતિષ્ઠા સ્થાપવા માટે આદિ પ્રભુએ જગતના અનેકાન્ત સ્વરૂપનો ઉપદેશ આપ્યો. તેમણે દર્શાવ્યું કે વિશ્વની પ્રત્યેક જડ યા ચેતન વસ્તુ, અણુપરમાણુ અને જીવરાશિ, અનન્ત ગુણો અને અનન્ત પર્યાયોનો આકર છે. તેના વિરાટ રૂપનો પૂર્ણ જ્ઞાને સ્પર્શ પણ કરી લે તો પણ તેને શબ્દો વડે વ્યક્ત ન કરી શકાય. તે અનન્ત દષ્ટિકોણોથી અનન્ત રૂપે જોવાય છે અને કહેવાય છે. તેથી આ અનેકાન્ત મહાસાગરને શાન્તિથી અને ગંભીરતાથી જુઓ. બીજાના દૃષ્ટિકોણોનો પણ આદર કરો, કેમ કે તેઓ પણ તમારી જેમ જ વસ્તુના સ્વરૂપાશોને ગ્રહણ કરનારા છે. અનેકાન્ત દર્શન વસ્તુવિચારના ક્ષેત્રમાં દષ્ટિની એકાંગિતા અને સંકુચિતતાથી થનારા મતભેદોને ઉખાડી માનસ સમતાની સૃષ્ટિ કરે છે અને વીતરાગચિત્તની સૃષ્ટિ માટે ફળદ્રુપ ભૂમિ બનાવે છે. માનસ અહિંસા માટે જ્યાં વિચારશુદ્ધિ કરનાર અનેકાન્ત દર્શનની ઉપયોગિતા છે ત્યાં વચનની નિર્દોષ પદ્ધતિ પણ ઉપાદેય છે, કેમ કે અનેકાન્તને વ્યક્ત કરવા માટે “આવું જ છે' ૧. ખડગિરિ-ઉદયગિરિની હાથીગુફાના ર૧૦૦ વર્ષ પુરાણા લેખથી ઋષભદેવની પ્રતિમાની કુલક્રમાગતતા અને પ્રાચીનતા સ્પષ્ટ થાય છે. આ લેખ કલિંગાધિપતિ ખારવેલે લખાવ્યો હતો. આ પ્રતિમાને નન્દ ઉઠાવી ગયો હતો. પછી ખારવેલા આ પ્રતિમાને નન્દ પછી ૩૦૦ વર્ષે પુષ્યમિત્ર પાસેથી પાછી લઈ આવ્યો હતો. ૨. જુઓ ન્યાયબિન્દુ, ૩. ૧૩૧-૩૩, તત્ત્વસંગ્રહગત સ્યાદ્વાદપરીક્ષા. 3. यथा ऋषभो वर्धमानश्च, तावादी यस्य स ऋषभवर्धमानादि: दिगम्बराणां શીસ્તા સર્વજ્ઞ મામતિ / ન્યાયબિન્દુટીકા, ૩.૧૩૧.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy