SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ જૈનદર્શન અર્થના હોવા છતાં પણ તેના અસ્તિત્વકાળમાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી અને અર્થના અભાવમાં જ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તો પછી જ્ઞાનને અર્થનું કાર્ય કેવી રીતે માની શકાય? કાર્ય અને કારણ સમાનકાળમાં તો રહી શકતાં નથી. જ્ઞાન અમૂર્ત છે, તેથી તે મૂર્ત અર્થના પ્રતિબિંબને પણ ધારણ કરી શકે નહિ. મૂર્ત દર્પણ આદિમાં જ મૂર્ત મુખ આદિનું પ્રતિબિંબ પડે છે, અમૂર્તમાં મૂર્તિનું પ્રતિબિંબ પડતું નથી." જો પદાર્થથી ઉત્પન્ન થવાના કારણે જ્ઞાનમાં વિષય પ્રતિનિયમ ઘટતો હોય તો ઘટજ્ઞાને ઘટની જેમ કારણભૂત ઇન્દ્રિય આદિને પણ વિષય કરવા જોઈએ. તદાકારતાથી વિષયપ્રતિનિયમ માનતાં એક ઘટનું જ્ઞાન ઉત્પન્ન થતાં તે આકારવાળા જેટલા પણ ઘટો હોય તે બધાનું પરિજ્ઞાન થઈ જવું જોઈએ. જો તદુત્પત્તિ અને તદાકારતા બન્ને મળીને નિયામક બનતાં હોય તો પ્રથમ ઘટજ્ઞાને દ્વિતીય ઘટજ્ઞાનના નિયામક બનવું જોઈએ કેમ કે પ્રથમ ઘટજ્ઞાન દ્વિતીય ઘટજ્ઞાનને ઉત્પન્ન કરે છે અને જેવો પ્રથમ ઘટજ્ઞાનનો આકાર છે તેવો જ આકાર દ્વિતીય જ્ઞાનમાં હોય છે. તદધ્યવસાયથી પણ વિષયપ્રતિનિયમ નથી ઘટતો કેમ કે શુક્લ શંખમાં થતા પીતાકાર જ્ઞાનથી ઉત્પન્ન દ્વિતીય જ્ઞાનમાં અનુકૂળ અધ્યવસાય તો દેખાય છે પરંતુ નિયામકતા નથી. તેથી પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન જ્ઞાન અને અર્થમાં, દીપક અને ઘટના પ્રકાશ્યપ્રકાશકભાવની જેમ, શેય-જ્ઞાયકભાવ માનવો ઉચિત છે. જેમ દેવદત્ત અને કાઇ પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન થયા હોવા છતાં પણ છેદનક્રિયાના કર્તા અને કર્મ બની જાય છે તેમ પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન શેય અને જ્ઞાનમાં પણ જ્ઞાપ્યજ્ઞાપકભાવ બની જાય છે. જેવી રીતે ખાણમાંથી નીકળેલો મલિન મણિ અનેક શાણ આદિ કારણોથી ન્યૂનાવિકપણે નિર્મલ અને સ્વચ્છ બની જાય છે તેવી જ રીતે કર્મયુક્ત મલિન આત્માનું જ્ઞાન પણ પોતાની વિશુદ્ધિ અનુસાર તરતમભાવે પ્રકાશમાન થાય છે અને પોતાની ક્ષયોપશમરૂપ યોગ્યતા અનુસાર પદાર્થોને જાણે છે. તેથી અર્થને જ્ઞાનમાં સાધકતમ કારણ માની શકાય નહિ. પદાર્થો તો જગતમાં વિદ્યમાન છે જ, જે સામે આવશે તેને માત્ર ઇન્દ્રિય અને મનના વ્યાપારથી ઉત્પન્ન થનારું જ્ઞાન જાણશે જ.. ૧. એજન, ૫૮. ૨. વતુર્નાનિતોડ વ્યર્થ છે: સ્વતો યથા તથા જ્ઞાનં વહેતુત્યું ઘર છેઃાત્મ સ્વત: | એજન, શ્લોક ૫૯.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy