SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન સૌત્રાન્તિક બૌદ્ધોનો સિદ્ધાન્ત છે કે જે જ્ઞાનનું કારણ ન હોય તે જ્ઞાનનો વિષય ન હોઈ શકે.૧ ૩૦૪ નૈયાયિક આદિ ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષથી જ્ઞાનની ઉત્પત્તિ સ્વીકારે છે. તેથી તેમના મતે પણ સન્નિકર્ષના ઘટકના રૂપમાં પદાર્થ જ્ઞાનનું કારણ બની જાય છે. બૌદ્ધોના મતમાં બધા પદાર્થો ક્ષણિક છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ‘જ્ઞાન પદાર્થ અને ઇન્દ્રિયોથી ઉત્પન્ન થવા છતાં તે કેવળ પદાર્થને જ કેમ જાણે છે, ઇન્દ્રિયોને કેમ જાણતું નથી ?' ત્યારે તેમણે અર્થજન્યતાની સાથે સાથે જ જ્ઞાનમાં અર્થાકારતાને પણ સ્થાન આપ્યું અર્થાત્ જે જ્ઞાન જેનાથી ઉત્પન્ન થાય છે અને જેના આકારવાળું બને છે તે જ્ઞાન તેને જાણે છે. વળી તેમને પૂછવામાં આવ્યું કે ‘દ્વિતીય ક્ષણવર્તી જ્ઞાન પૂર્વ ક્ષણવર્તી જ્ઞાનથી ઉત્પન્ન પણ થાય છે અને તેના આકારવાળું પણ હોય છે અર્થાત્ જે આકાર પૂર્વજ્ઞાનમાં હોય છે તે જ આકાર દ્વિતીયજ્ઞાનમાં પણ હોય છે, તો પછી દ્વિતીય જ્ઞાન પૂર્વજ્ઞાનને કેમ જાણતું નથી ?’ આ પ્રશ્નના સમાધાન માટે તેમને તદધ્યવસાય પણ માનવો પડ્યો અર્થાત્ જે જ્ઞાન જેનાથી ઉત્પન્ન થાય, જેના આકારવાળું બને અને જેનો અધ્યવસાય કરે (અનુકૂળ વિકલ્પ ઉત્પન્ન કરે), તે જ્ઞાન તે પદાર્થને જાણે છે. નીલજ્ઞાન ‘નીમિમ્ (આ નીલ છે)' એવા વિકલ્પને ઉત્પન્ન કરે છે, ‘પૂર્વજ્ઞાનમિમ્ (આ પૂર્વજ્ઞાન છે)' એવા વિકલ્પને ઉત્પન્ન કરતું નથી, તેથી નીલજ્ઞાન નીલને જાણે છે, પૂર્વજ્ઞાનને જાણતું નથી. આ રીતે બૌદ્ધોએ તદુત્પત્તિ, તાદ્રૂપ્ય અને તદધ્યવસાયને જ્ઞાનના વિષયના નિયામક તરીકે સ્વીકાર્યાં છે. ‘પ્રથમક્ષણવર્તી’ પદાર્થ જ્યારે જ્ઞાનને ઉત્પન્ન કરીને નાશ પામી જાય છે ત્યારે તે જ્ઞાનનો ગ્રાહ્ય કેવી રીતે બની શકે ?’ આ પ્રશ્નનું સમાધાન તદાકારતાથી કરવામાં આવ્યું છે અર્થાત્ પદાર્થ આગલા ક્ષણમાં ભલે નષ્ટ થઈ જાય પરંતુ તે પોતાનો આકાર જ્ઞાનમાં મૂકી જાય છે, તેથી જ્ઞાન તે અર્થને જાણે છે. અર્થ કારણ નથી જૈન દાર્શનિકોમાં સૌપ્રથમ અકલંકદેવે ઉક્ત બૌદ્ધ વિચારોની આલોચના કરતાં જ્ઞાન પ્રતિ મન અને ઇન્દ્રિયની કારણતાનો સિદ્ધાન્ત સ્થિર કર્યો, જે પરંપરાગત ૧. નાારાં વિષય: । બોધિચર્યાવતારપંજિકા, પૃ. ૩૯૮ ઉપ૨ ઉષ્કૃત. ૨. મિત્રનાનું યં પ્રાજ્ઞમિતિ રેવું ગ્રાહ્યતાં વિવુઃ । હેતુત્વમેવ યુત્તિજ્ઞા જ્ઞાનાર્પનક્ષમમ્ । પ્રમાણવાર્તિક, ૨.૨૪૭. ૩. તત: સુમાષિતમ્ - જ્ઞન્દ્રિયમનસી વ્હારળ વિજ્ઞાનસ્ય અર્થો વિષય: । લઘીયસયસ્વવૃત્તિ, શ્લોક ૫૪.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy