SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૯૧ બુદ્ધિકલ્પિત અન્યવ્યાવૃત્તિ યા અન્યાપોહનો જ વાચક બને છે, અર્થનો વાચક બનતો નથી.' ઈન્દ્રિયગ્રાહ્ય પદાર્થ જુદો હોય છે અને શબ્દગોચર અર્થ જુદો હોય છે. શબ્દથી આંધળો પણ અર્થબોધ કરી શકે છે પરંતુ તે અર્થને પ્રત્યક્ષ જાણી શકતો નથી. દાહ’ શબ્દ દ્વારા જે દાહ અર્થનો બોધ થાય છે અને અગ્નિને સ્પર્શીને જે દાહની પ્રતીતિ થાય છે તે બન્ને દાહો જુદા જુદા છે, એ સમજાવવાની આવશ્યકતા નથી. તેથી શબ્દ કેવળ કલ્પિત સામાન્યનો વાચક છે. જો શબ્દ અર્થનો વાચક હોત તો શબ્દબુદ્ધિનો પ્રતિભાસ ઇન્દ્રિયબુદ્ધિની જેમ વિશદ હોત. અર્થવ્યક્તિઓ અનન્ત અને ક્ષણિક છે, તેથી જ્યારે તેમનું ગ્રહણ જ સંભવ નથી ત્યારે પહેલાં તો તેમનામાં સંકેત જ ગૃહીત થઈ શકતો નથી, જો સંકેત ગૃહીત થઈ પણ જાય તો વ્યવહારકાળ સુધી તેની અનુવૃત્તિ થઈ શકતી નથી, તેથી શબ્દથી અર્થબોધ થવો અસંભવ છે. કોઈ પણ પ્રત્યક્ષ એવું નથી જે શબ્દ અને અર્થ બન્નેને વિષય કરતું હોય, તેથી સકેતનું હોવું જ કઠિન છે. સ્મરણ નિર્વિષય અને ગૃહીતગ્રાહી હોવાથી પ્રમાણ જ નથી. સામાન્યવિશેષાત્મક અર્થ વાચ્ય છે. પરંતુ બૌદ્ધોની આ માન્યતા ઉચિત નથી. પદાર્થમાં કેટલાક ધર્મો સદશ હોય છે અને કેટલાક વિસદશ. સદશ ધર્મોને જ સામાન્ય કહે છે. તે અનેકાનુગત ન હોતાં પ્રત્યેક વ્યક્તિનિષ્ઠ હોય છે. જો સાદશ્યને વસ્તુગત ધર્મ માનવામાં ન આવે તો અગોનિવૃત્તિ “અમુક ગૌવ્યક્તિઓમાં જ મળે છે, અશ્વ આદિ વ્યક્તિઓમાં મળતી નથી’ આ નિયમ કેવી રીતે બનાવી શકાશે ? જેવી રીતે ભાવ અર્થાત્ ૧. વિ7પ્રતિવિખે; તત્રિએગુ નિવધ્યતે | તતોગચાપોનિષ્ઠત્વાકુISચાપોત્કૃતિઃ પ્રમાણવાર્તિક, ૨.૧૬૪. ૨. અન્યવેદ્રિયગ્રાહ્યમન્ય છવ્વી શોવર: | શબ્દોનું પ્રતિ મિત્રો તુ પ્રત્યક્ષીકો | ઉધૃત, પ્રશસ્તપાદવ્યોમવતી, પૃ. ૫૮૪ અને ન્યાયકુમુદચન્દ્ર, પૃ. ૫૫૩. ૩. તત્ર ત્રણ તાવત્ર શત્રે પ્રતિપાદ્યતે – સંતવ્યવહાવ્યાવિરોઘત: એ તત્ત્વસંગ્રહ, પૃ. ૨૦૭. ૪. જુઓ ન્યાયકુમુદચન્દ્ર, પૃ. ૫૫૭.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy