SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૭૯ પત્રવાક્ય લિખિત શાસ્ત્રાર્થમાં વાદી અને પ્રતિવાદી પરસ્પર જે લેખ-પ્રતિલેખોનું આદાનપ્રદાન કરે છે તેમને પત્ર કહે છે. પોતાના પક્ષની સિદ્ધિ કરતાં નિર્દોષ અને ગૂઢ પદો જેમાં હોય એવું પ્રસિદ્ધ અવયવવાળું નિર્દોષ વાક્ય પત્ર છે.' પત્રવાક્યમાં પ્રતિજ્ઞા અને હેતુ આ બે અવયવો જ પર્યાપ્ત છે. એટલા માત્રથી વ્યુત્પન્નને અર્થપ્રતીતિ થઈ જાય છે. અવ્યુત્પન્ન શ્રોતાઓની અપેક્ષાએ ત્રણ અવયવ, ચાર અવયવ અને પાંચ અવયવોવાળું પણ પત્રવાક્ય હોઈ શકે છે. પત્રવાક્યમાં પ્રકૃતિ અને પ્રત્યયોને ગુપ્ત રાખીને તેને અત્યન્ત ગૂઢ બનાવવામાં આવે છે જેથી પ્રતિવાદી સહજ જ તેનું ભેદન ન કરી શકે, જેમ કે વિશ્વમ્ અનેન્તિાત્મ પ્રમેયત્વત’ આ અનુમાનવાકય માટે આ ગૂઢ પત્ર પ્રસ્તુત કરવામાં આવે છે – स्वान्तभासितभूत्याद्ययन्तात्मतदुभान्तवाक् । પાન્તરિતોમિતીત સ્વાત્મત્વત: | પ્રમેયકમલમાર્તડ, પૃ. ૬૮૫. જ્યારે કોઈ વાદી પત્ર દે છે અને પ્રતિવાદી તેના અર્થને સમજીને ખંડન કરે છે તે સમયે જો વાદી કહે કે “આ મારા પત્રનો અર્થ નથી” તો તેને પૂછવું જોઈએ કે જે આપના મનમાં છે તે આનો અર્થ છે કે જે આ વાક્યરૂપ પત્રથી પ્રતીત થાય છે તે છે કે પછી જે આપના મનમાં પણ છે અને વાક્યથી પ્રતીત પણ થાય છે તે છે?' પ્રથમ વિકલ્પમાં પત્ર દેવો જ નિરર્થક છે કેમ કે જે અર્થ આપના મનમાં મોજૂદ છે તેને જાણવો જ કઠિન છે, આ પત્રવાક્ય તો તેનું પ્રતિનિધિત્વ કરી શકતું નથી. બીજો વિકલ્પ જ ઉચિત જણાય છે જે અનુસાર પ્રકૃતિ પ્રત્યય આદિના વિભાગ દ્વારા જે અર્થ તે પત્રવાક્યમાંથી પ્રતીત થાય તેનું સાધન અને દૂષણ શાસ્ત્રાર્થમાં થવું જોઈએ. આમાં પ્રકરણ આદિ દ્વારા જેટલા પણ અર્થ સંભવ હોય તે બધા તે પત્રવાક્યના અર્થ મનાશે. આમાં વાદી દ્વારા ઈષ્ટ હોવાની શરત મૂકી શકાતી નથી કેમ કે જ્યારે શબ્દ પ્રમાણ છે ત્યારે તેનાથી પ્રતીત થનારા બધા અર્થોનો સ્વીકાર કરવો જ જોઈએ. ત્રીજા વિકલ્પમાં વિવાદનો પ્રશ્ન એટલો જ રહે છે કે કોઈ અર્થ શબ્દથી પ્રતીત થયો અને તે જ વાદીના મનમાં પણ હતો, તેમ છતાં જો વાદી દુરાગ્રહવશ એમ કહે કે “આ મારો અર્થ જ નથી” તો તે સમયે કોઈ નિયત્રણ નહિ રાખી શકાય. તેથી તેનો એક માત્ર સીધો માર્ગ એ છે કે પ્રસિદ્ધિ અનુસાર તે શબ્દોથી જે અર્થ પ્રતીત થાય તે જ અર્થ માનવો. १. प्रसिद्धावयवं वाक्यं स्वेष्टस्यार्थस्य साधकम् । સાધુપૂઢપપ્રાય પત્રમાકુનાવતમ્ ! પત્ર પરીક્ષા, પૃ.૧.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy