SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૨૫ કોઈ આપત્તિ નથી, પરંતુ ધર્મનું જ્ઞાન તો કેવળ વેદ દ્વારા જ થશે, પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી નહિ થાય. આ રીતે ધર્મને વેદ દ્વારા તથા ધર્માતિરિક્ત શેષ પદાર્થોને યથાસંભવ અનુમાનાદિ પ્રમાણોથી જાણીને જો કોઈ પુરુષ એકંદર સર્વજ્ઞ બનતો હોય તો અમને મીમાંસકોને કોઈ જ વિરોધ નથી.' બીજો પક્ષ બૌદ્ધોનો છે. તેઓ બુદ્ધને ધર્મનો અર્થાત ચાર આર્યસત્યોનો સાક્ષાત્કાર માને છે. તેમનું કહેવું છે કે બુદ્ધ પોતાના ભાસ્વર જ્ઞાન દ્વારા દુઃખ, સમુદય અર્થાત્ દુઃખનાં કારણ, નિરોધ અર્થાત્ નિર્વાણ અને માર્ગ અર્થાત્ નિર્વાણના ઉપાય આ ચતુરાર્ધસત્યરૂપ ધર્મનું પ્રત્યક્ષ દર્શન કર્યું છે. તેથી ધર્મના વિષયમાં ધર્મદ્રષ્ટા સુગત જ અન્તિમ પ્રમાણ છે. સુગત કરુણા કરીને કષાયજ્વાલાથી જળેલા સંસારી જીવોના ઉદ્ધારની ભાવનાથી ઉપદેશ આપે છે. આ મતના સમર્થક ધર્મકીર્તિએ લખ્યું છે કે જગતના સમસ્ત પદાર્થોનો કોઈ પુરુષ સાક્ષાત્કાર કરે છે કે નહિ એ નિરર્થક વિવાદમાં અમે પડવા માગતા નથી. અમે તો એ જાણવા ઈચ્છીએ છીએ કે તેણે ઈષ્ટ તત્ત્વને અર્થાત ધર્મને જાણ્યો છે કે નહિ? મોક્ષમાર્ગમાં અનુપયોગી દુનિયાભરના કીડામકોડા આદિની સંખ્યાના પરિજ્ઞાનનો ભલા મોક્ષમાર્ગ સાથે શો સંબંધ ? ધર્મકીર્તિ સર્વજ્ઞતાનો સિદ્ધાન્તતઃ વિરોધ કરતા નથી પરંતુ તેને નિરર્થક અવશ્ય દર્શાવે છે. તે સર્વજ્ઞતાના સમર્થકોને કહે છે કે મીમાંસકો આગળ સર્વજ્ઞ ઉપર અર્થાત્ ત્રિકાલ-ત્રિલોકવર્તી સમસ્ત પદાર્થોના પ્રત્યક્ષ દ્વારા થતા જ્ઞાન ઉપર, શા માટે ભાર આપો છો ? અસલ વિવાદ તો ધર્મજ્ઞતાની બાબતમાં છે અને તે એ કે ધર્મના વિષયમાં ધર્મના સાક્ષાત્કર્તાને પ્રમાણ માનવા કે વેદને ? તે ધર્મમાર્ગના સાક્ષાત્કાર માટે ધર્મકીર્તિએ આત્મામાંથી અર્થાત જ્ઞાનપ્રવાહમાંથી દોષોનો અત્યન્ત ઉચ્છેદ માન્યો અને નૈરામ્યભાવના આદિ તેનાં સાધનો દર્શાવ્યાં. તાત્પર્ય એ કે જ્યાં કુમારિલે પ્રત્યક્ષથી ધર્મજ્ઞતાનો નિષેધ કરી ધર્મના વિષયમાં વેદનો જ અવ્યાહત અધિકાર સ્વીકાર્યો ત્યાં ધર્મકીર્તિએ પ્રત્યક્ષથી જ १. धर्मज्ञत्वनिषेधश्च केवलोऽत्रोपयुज्यते । સર્વત્ વિનાનંતુ પુરુષ: ન વાર્યતે I તત્ત્વસંગ્રહ, કારિકા ૩૧૨૮ (કુમારિલના નામે ઉધૃત). ૨. તમતિનુBયાત જ્ઞાનમય વિવાર્યતામ્ ! વીટસંહયારિજ્ઞા ત ન થોપયુતે રૂા दूरं पश्यतु वा मा वा तत्त्वमिष्टं तु पश्यतु । પ્રમાણે તૂરત વેવેત પૃથ્રાનુપHકે રૂડા પ્રમાણવાર્તિક ૧.૩૩, ૩૫
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy