SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ જૈનદર્શન ૧ રે અને જે જ્ઞાનોમાં ઇન્દ્રિય, મન, પ્રકાશ આદિ પર સાધનોની અપેક્ષા હોય છે તે પરોક્ષ છે. પ્રત્યક્ષ અને પરોક્ષની આ પરિભાષા જૈન પરંપરાની પોતાની છે. જૈન પરંપરામાં પ્રત્યેક વસ્તુ પોતાના પરિણમનમાં ખુદ પોતે જ ઉપાદાન હોય છે. જેટલાં પરનિમિત્તક પરિણમનો છે તે બધાં વ્યવહારમૂલક છે. જે માત્ર સ્વજન્ય છે તે જ પરમાર્થ છે અને નિશ્ચયનયના વિષય છે. પ્રત્યક્ષ અને પરોક્ષનાં લક્ષણ અને વિભાજનમાં પણ આ જ દૃષ્ટિ કામ કરી રહી છે અને તેના નિર્વાહ માટે ‘અક્ષ’ શબ્દનો અર્થ આત્મા કરવામાં આવ્યો છે. ‘પ્રત્યક્ષ’ શબ્દનો પ્રયોગ જે લોકમાં ઇન્દ્રિયપ્રત્યક્ષના અર્થમાં જોવામાં આવે છે તેને સાવ્યવહારિક સંજ્ઞા દેવામાં આવી છે, જો કે આગમિક પરમાર્થ વ્યાખ્યા અનુસાર તો ઇન્દ્રિયજન્ય જ્ઞાન પરસાપેક્ષ હોવાથી પરોક્ષ છે તેમ છતાં લોકવ્યવહારની પણ ઉપેક્ષા કરી શકાતી ન હોઈ તેનો સ્વીકાર સાંવ્યવહારિક પ્રત્યક્ષના રૂપમાં કરવામાં આવ્યો છે. જૈન દૃષ્ટિમાં ઉપાદાનયોગ્યતા પર જ વિશેષ ભાર અપાયો છે. નિમિત્તથી જો કે ઉપાદાનયોગ્યતા વિકસે છે પરંતુ નિમિત્તસાપેક્ષ પરિણમન ઉત્કૃષ્ટ અને શુદ્ધ મનાતાં નથી. તેથી પ્રત્યક્ષ જેવા ઉત્કૃષ્ટ જ્ઞાનમાં ઉપાદાન આત્માની જ અપેક્ષા માની છે, ઇન્દ્રિય અને મન જેવા નિકટતમ સાધનોની અપેક્ષા માની નથી. આત્મમાત્રસાપેક્ષતા પ્રત્યક્ષવ્યવહારનું કારણ છે અને ઇન્દ્રિયમનોજન્યતા પરોક્ષવ્યવહારની નિયામિકા છે. આ જૈન દૃષ્ટિનું પોતાનું આધ્યાત્મિક નિરૂપણ છે. તાત્પર્ય એ કે જે જ્ઞાન સર્વથા સ્વાવલંબી છે, જેમાં બાહ્ય સાધનોની આવશ્યકતા નથી તે જ્ઞાન જ પ્રત્યક્ષ કહેવાવાને યોગ્ય છે, અને જે જ્ઞાનમાં ઇન્દ્રિય, મન અને પ્રકાશ આદિ સાધનોની આવશ્યકતા હોય છે તે જ્ઞાન પરોક્ષ છે. આ રીતે મૂળમાં પ્રમાણના બે ભેદ છે - એક પ્રત્યક્ષ અને બીજો પરોક્ષ. પ્રત્યક્ષ પ્રમાણ પ્રત્યક્ષનું લક્ષણ સિદ્ધસેન દિવાકરે પ્રત્યક્ષનું લક્ષણ ‘અપરોક્ષ રૂપે અર્થનું ગ્રહણ કરવું એ પ્રત્યક્ષ છે’ૐ આવું કર્યું છે. આ લક્ષણમાં પ્રત્યક્ષનું સ્વરૂપ ત્યાં સુધી સમજાતું નથી જ્યાં સુધી १. जं परदो विण्णाणं तं तु परोक्खत्ति भणिदमत्थेसु । નું વતેળ ખાવું હરિ હૈં નીનેળ પદ્મવવું || પ્રવચનસાર, ગાથા ૫૮. ૨. અોતિ વ્યાપ્નોતિ જ્ઞાનાતીત્યક્ષ આત્મા । સર્વાર્થસિદ્ધિ, પૃ.૫૯. ૩. અપરોક્ષતયાર્થસ્ય પ્રાહર્ત જ્ઞાનમીવૃશમ્ । પ્રત્યક્ષમિતરોય પોક્ષ પ્રદ્દળેક્ષયા ।।૪।। ન્યાયાવતાર.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy