SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ છ દ્રવ્યોનું વિવેચન ૧૫૫ સત્તા ધરાવે છે, અર્થાત્ અખંડ સત્તાવાળા ગુણો તેમજ પર્યાયો જ દ્રવ્ય છે. ગુણ પ્રતિક્ષણ કોઈ ને કોઈ પર્યાયરૂપે પરિણત થાય છે જ અને આવા અનેક ગુણો અનન્ત કાળ સુધી જે એક અખંડ સત્તાથી અનુસ્મૃત રહે છે તે દ્રવ્ય છે. દ્રવ્યનો અર્થ છે કે તે ક્રમભાવી પર્યાયોને પામવા અને આ અર્થમાં તો પ્રત્યેક ગુણને પણ દ્રવ્ય કહી શકાય કેમ કે તે પોતાના ક્રમભાવી પર્યાયોમાં અનુસૂત રહે છે જ પરંતુ આ રીતે ગુણમાં ઔપચારિક દ્રવ્યતા જ ઘટે છે, મુખ્ય નહિ. એક દ્રવ્ય સાથે તાદામ્ય ધરાવવાના કારણે બધા ગુણો એક રીતે દ્રવ્ય જ છે પરંતુ એનો અર્થ કદી એ તો નથી જ કે પ્રત્યેક ગુણ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ સત્ હોવાના કારણે સ્વયં એક પરિપૂર્ણ દ્રવ્ય બની જાય. અર્થાત્ ગુણને વસ્તુતઃ દ્રબાશ કહી શકાય, દ્રવ્ય ન કહી શકાય. આ અશકલ્પના પણ વસ્તુસ્થિતિ પર પ્રતિષ્ઠિત છે, કેવળ સમજાવવા ખાતર જ નથી. આ રીતે દ્રવ્ય ગુણ-પર્યાયોનો એક અખંડ તાદાભ્ય ધરાવનારો અને પોતાના પ્રત્યેક પ્રદેશમાં સંપૂર્ણ ગુણોની સત્તાનો આધાર છે. આ વિવેચનનો ફલિતાર્થ એ છે કે એક દ્રવ્ય અનેક ઉત્પાદો અને વ્યયોનો તેમજ ગુણરૂપે ધ્રૌવ્યનો યુગપત આધાર છે. તે પોતાના વિભિન્ન ગુણો અને પર્યાયો સાથે જે પ્રકારનું વાસ્તવિક તાદામ્ય ધરાવે છે તે પ્રકારનું તાદાભ્ય બે દ્રવ્યોમાં હોઈ શકે નહિ. તેથી અનેક વિભિન્નસત્તાક પરમાણુઓના બન્ધકાળમાં જે સ્કન્ધાવસ્થા થાય છે તે તે પરમાણુઓના સદશ પરિણમનોનો યોગ છે, તેમનામાં કોઈ નવું દ્રવ્ય પેદા થતું નથી પરંતુ વિશિષ્ટ અવસ્થાને પ્રાપ્ત પરમાણુઓ જ વિભિન્ન સ્કન્ધોના રૂપમાં વ્યવહત થાય છે. આ વિશિષ્ટ અવસ્થા તેમની કથંચિત્ એકત્વપરિણતિ રૂપ છે. કાર્યોત્પત્તિવિચાર સાગનો સત્કાર્યવાદ કાર્યોત્પત્તિ બાબતે મુખ્યપણે ત્રણ વાદ છે. પહેલો સત્કાર્યવાદ, બીજો અસત્કાર્યવાદ અને ત્રીજો સત-અસત્કાર્યવાદ. સાંખ્ય વિચારકો સત્કાર્યવાદી છે. તેમનો આશય નીચે પ્રમાણે છે. પ્રત્યેક કારણમાં તેનાથી ઉત્પન્ન થનારા કાર્યોની ઉત્પત્તિ પહેલાં સત્તા છે, કેમ કે સર્વથા અસત્ કાર્યની ખરવિષાણની જેમ ઉત્પત્તિ થઈ શકતી નથી. ઘઉના અંકુર માટે ઘઉંના બીજને જ ગ્રહણ કરવામાં આવે છે, યવ १. असदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाभावात् । Mાર્યવિમા વિમાWત્ વૈશ્વરૂણી | સાખકારિકા, ૯.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy