SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્ર હવે જેમ દ્રવ્ય પરમાણુરૂપ પ્રદેશો વડે ઘટ સપ્રદેશી છે તે ઘડો અનંતા પરમાણુવાળો એક પ્રકારનો સ્કંધ વિશેષ છે તેની જેમ પરમાણુ પણ અપ્રદેશી છે. આવું કોઈ કહે તો તે વાત અસિદ્ધ છે. તે જણાવવાની ઇચ્છાથી પૂ. સૂત્રકાર મ. કહે છે કે - નાળોઃ । - ।। પરમાણુના દ્રવ્ય પરમાણુરૂપ પ્રદેશ હોતા નથી. ભાષ્ય અણુના પ્રદેશો હોતા નથી. પરમાણુના પ્રદેશ ન મનાય તો જ તેનું પરમાણુપણું રહે અણુના ‘આપૂરકાઃ' એટલે પરિણામી કારણપણાને ભજનારા દ્રવ્યરૂપ પ્રદેશો હોતા ८० નથી. મતલબ એ છે કે પરમાણુ પોતે જ પ્રદેશ છે એની સાથે બીજો પરમાણુ જોડાય તો તે પરમાણુ ન રહે પણ સ્કંધ કહેવાય. માટે પરિણામી કારણ જે દ્રવ્યરૂપ પ્રદેશ છે તે પરમાણુને હોતા નથી. આ નિરૂપણની સામે બૌદ્ધો પરમાણુનો અભાવ સિદ્ધ કરવા અનુમાન કરે છે તે અનુમાન અને તેના અનુમાનમાં આવતા દોષો વિચારીએ. પરમાણુના અભાવને સિદ્ધ કરતું બૌદ્ધોનું અનુમાન.. સપ્રદેશી હોવાથી પરમાણુનો અભાવ છે. આ પ્રમાણે બૌદ્ધો અનુમાન કરે છે કે ‘પરમાણુ’ ‘નાસ્તિ’ પક્ષ સાધ્ય પરમાણુ નાસ્તિત્વ સપ્રદેશી હોવાથી પરમાણુનો અભાવ છે. આ અનુમાનમાં આવતા દોષ... બૌદ્ધોએ કરેલ અનુમાનથી પરમાણુનો અભાવ સિદ્ધ થતો નથી પરંતુ તેમાં બે દોષ આવે છે. (૧) પ્રતીતિ વિરોધ, (૨) અવ્યાપકસિદ્ધિ પ્રતીતિ વિરોધ : $. ‘સપ્રદેશીત્વાત્’ હેતુ સપ્રદેશીત્વ છેલ્લામાં છેલ્લો અંત્ય વિભાગ, જેના પછી કોઈ વિભાગ નથી—પ્રદેશ નથી તે પરમાણુ अणोः परमाणुपुद्गलस्य प्रदेशाः - आरम्भकाः परमाणवः न सन्ति हारिभ. तत्त्वा० पृ० २१७
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy