SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્ર સૂત્રકાર મહારાજે ધર્માદિ દ્રવ્યો નિત્ય છે, અવસ્થિત છે, અરૂપી છે, માત્ર પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. આ રીતે દ્રવ્યોની ઓળખાણ આપી હજી પણ તે દ્રવ્યોમાં વિશેષ કહેવાની ઇચ્છા છે તેથી પૂ. આચાર્ય મ. આ સૂત્રરચના કરી રહ્યા છે. आकाशादेकद्रव्याणि ॥ ५-५ ॥ આકાશ સુધીનાં બધાં દ્રવ્યો એક એક છે. મતલબ ધર્મદ્રવ્ય એક છે, અધર્મદ્રવ્ય એક છે અને આકાશદ્રવ્ય એક છે. ટીકા : આકાશ સુધીનાં દ્રવ્યોની સંખ્યા પૂર્વ સૂત્રની સાથે સંબંધ કરતાં દ્રવ્યોમાં વિશેષ કહેવાની ઇચ્છાથી આ સૂત્રરચના છે એ આપણે અવતરણિકામાં જોયું અથવા પુદ્ગલદ્રવ્ય પરમાણુઆદિના ભેદથી અનેક પ્રકારનું છે અને જીવદ્રવ્ય નારક આદિ વિશેષથી અનેક પ્રકારે છે. અર્થાત્ પરમાણુ પુદ્ગલ, ચણક પુદ્ગલ એવી રીતે અનંત ભેદ થાય છે અને નારકીનો જીવ, દેવનો જીવ, એકેન્દ્રિય જીવ, બેઈન્દ્રિય જીવ ઇત્યાદિ જીવના પણ વિશેષને લઈને અનેક ભેદ થાય છે. તો શું ધર્માદિ દ્રવ્યના પણ અનેક ભેદ છે ? શું ધર્માદિ દ્રવ્યો પણ જીવ અને પુદ્ગલ જેવા અનેક છે ? આવી શંકા થાય છે તેના સમાધાનમાં આ સૂત્રરચના છે. આથી આ સૂત્ર દ્વારા આકાશ સુધીનાં બધાં દ્રવ્યો એક એક છે પણ અનેક નથી. આવું સમાધાન થાય છે. આ વાતને પૂ. ભાષ્યકાર મ. બતાવી રહ્યા છે. ભાષ્ય :- આકાશ સુધીનાં ધર્માદિ દ્રવ્યો એક જ હોય છે. પુદ્ગલ અને જીવ' તો અનેક દ્રવ્ય હોય છે. ‘માલાશા'માં રહેલા માની સંધિ અને તેનો અર્થ સૂત્રમાં ‘મારીનું પદ છે તેમાં ‘ના’ અને ‘બાવા' બે શબ્દો છે. 'મા' એટલે જે માફ છે તે અભિવિધિનો વાચક છે અર્થાત્ માનો અર્થ અભિવિધિ છે તેથી તેની સંધિ થઈ શકે છે. માટે ના મ અને મારાના કાનું દ્ધિત્વ અર્થાતુ બંનેની સંધિ થઈને “બાશક્તિ' આવું સૂત્રપદ છે. તેમાંથી પૂ. ભાષ્યકાર મ. ‘ના’ને છૂટો પાડીને “મા ગાવાશા' ભાષ્યમાં કહે છે. તેનો અર્થ છે “આકાશ સુધીના'. ૧. ૨. अनेनात्मैकत्वप्रत्येकत्वनिरासः, तदेकत्वे संसाराद्यभाव इति भावनीयम् । श्री हारि० पृ० २१४ અહીં બહુ અભિવિધિ અર્થમાં છે તેથી વાળો છે. અર્થાત મહું માંથી હું ચાલ્યો જાય છે અને ‘મા’ રહે છે. આ કાર્ફ સ્વરાદિ અવ્યય હોવા છતાં એની સંધિ થાય છે કેમ કે “વાદ્રિ રોડના (સિદ્ધ દેH૦ શરારૂ૬)માં મદ્દ સિવાયના સ્વરાદિ અવયવોની સંધિનો નિષેધ છે વત્ અર્થે, ક્રિયાયોને, વિદ્યૌ ૨ : / પતમાતં ડિતં વિદ્યાર્ વાવયમરાયોહિત્ II ઈષદ્ અર્થ, ક્રિયાયોગ, મર્યાદા અને અભિવિધિ આ અર્થ સિવાયના વાક્ય અને સ્મરણ અર્થમાં મારું હિત મનાતો નથી. તેથી અહીં આ અને આવાશન ની સંધિ થતાં માવશાત આવો પ્રયોગ પૂ. સૂત્રકાર મ કર્યો છે. મ
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy