SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ૨ તત્ત્વાર્થ સૂત્ર અવિવક્ષો દ્વારા પદાર્થના અનેકાણા અને એકપણાના નિરૂપણની જેમ અભિધાન અને પ્રત્યય (અર્થ) વિષય ભાવના કહેવી જોઈએ. તે આ રીતે– તેમાં પુદ્ગલ દ્રવ્યનો પરિણામવિશેષ શબ્દ છે. આ અભિયાન છે. આ પુદ્ગલદ્રવ્ય અતીત કાળમાં શબ્દરૂપે પરિણમ્યું અને વર્તમાનમાં પરિણમી રહ્યું છે અને ભવિષ્યકાળમાં પરિણમશે. આ પુદ્ગલદ્રવ્ય અતીત, વર્તમાન અને આગામી ઘણા પર્યાયનું પરિણામી છે. આની અર્પણા અને અનર્પણાથી" પુદ્ગલદ્રવ્ય સત, અસત, નિત્ય અને અનિત્ય વગેરે અનેકધર્માત્મક છે. પ્રત્યય એટલે અવબોધ. પ્રહણલક્ષણ પુદ્ગલ છે. પુદ્ગલનું ગ્રહણ થાય છે. ગ્રહણ કરાય તે પુદ્ગલ. આ દ્રવ્યાંશની અપેક્ષાએ છે, અને સંખ્યા પરિમાણ, આકાર વગેરે અનેક પર્યાયની અપેક્ષાએ સતુ, અસત, નિત્ય અને અનિત્યાદિ સ્વભાવવાળો છે. એટલે જે અર્થઘટાદિ છે, અને જે ઘટાદિ શબ્દ છે તે બધામાં અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્યત્વ, અનિત્યત્વ વગેરે ધર્મો અર્પણ અને અનપણાથી છે. તેથી શબ્દ પણ અનેક ધર્માત્મક છે અને અર્થ પણ અનેકધર્માત્મક છે. આમ પંચાસ્તિકાયરૂપ સારું વિશ્વ સત, અસત, નિત્ય અને અનિત્યાદિ સ્વભાવવાળું સિદ્ધ છે. અર્પિત-અનર્પિતરૂપ સકળ શાસ્ત્રના સારવાળી ત્રિસૂત્રી–ત્રણ સૂત્રનો વિન્યાસ જેમાં છે એવા સ્યાદ્વાદની પ્રક્રિયાથી સંગત હોવાથી આ આખું વિશ્વ સદસદ્, નિત્યાનિત્યાદિ સ્વભાવ છે. આ પ્રમાણે સિદ્ધ કર્યું અને સૂત્રની વ્યાખ્યા સમાપ્ત કરી. ૧. એ કેવી રીતે છે તે પૃ ૩૯૩ પર જેવું. ૨. શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે “અનેકધર્માત્મકત્વાત' તેમાં સપ્તભંગી કેવી રીતે ઉતારવી ? તો સતુ, અસતુ, નિત્ય, અનિત્ય ધર્માત્મક છે તે બતાવ્યું એટલે નીચે મુજબ સંભવે. स्यात् शब्दः अस्ति स्यात् शब्द: नास्ति શાત્ શબ્દઃ અpવ્ય: ઇત્યાદિ એવી રીતે થાત શબ્દઃ નિત્યઃ स्यात् शब्दः अनित्यः થાત્ શબ્દઃ અવO: ३. उत्पाद व्यय ध्रौव्य युक्त सत्-२९ तद्भावाव्ययं नित्यम्-३ अर्पिताऽऽनर्पितसिद्धेः-३१
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy