SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૫૦૧ હમણા આ ત્રીજા ભંગમાં ‘ઉભયપર્યાય યુગપતુ અર્પણામાં અવક્તવ્ય બને છે. વળી “ઇતરત્ર' એટલે “પર્યાયયો' “પપુ'માં પ્રધાનપણે ભેદની વ્યાખ્યા કરાય ત્યારે દ્વિવચન અને બહુવચનનો નિર્દેશ સમીચીન છે. અર્થાત “પર્યાયયો', પર્યાપુ'માં અસ્તિત્વ અને નાસ્તિત્વ બંનેના ભેદની જ વિવક્ષા કરી છે. એટલે સમયપર્યાયે આ પહેલા વાક્યપ્રયોગમાં એક જ અસ્તિત્વમાં સ્વપર્યાય અને પરપર્યાય આ ઉભયપર્યાયરૂપે અસ્તિત્વની જ અભેદપણે વિવક્ષા છે, જ્યારે ‘મયપર્યાયઃ' આ બીજા વાક્યપ્રયોગમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બંનેનો ભેદ વિવક્ષિત છે. માટે માર્યા અને મયપર્યાયો. આ બંનેમાં વિશેષ છે. અથવા ૩મયપર્યાયે આ વાક્યપ્રયોગમાં જાતિની વિવક્ષાથી એકવચન છે. કેમ કે પર્યાયત્વજાતિ ઉભયમાં એક છે. એટલે ઉભય પર્યાયમાં રહેલ પર્યાયત્વ જાતિ એક હોવાથી જાતિની વિવક્ષામાં એકવચન છે. આ પ્રમાણે સંગ્રહ અને વ્યવહાર નયને અનુસરનારા આ ત્રણે સકલાદેશો ભાષ્યકાર મ. ભાષ્યથી જ વિચાર્યા છે. વિકલાદેશ હવે પર્યાય નયને આશ્રિત ચાર વિકલાદેશ કહેવા યોગ્ય છે તેના પ્રતિપાદન માટે પૂ ભાષ્યકાર મ. કહે છે કે – ભાષ્ય :- દેશમાં આદેશ વડે (પર્યાયાસ્તિકની) વ્યાખ્યા કરવી જોઈએ. તિ શબ્દ વિકલ્પની ઇયત્તા બતાવનાર છે. ટીક :- “તિ' શબ્દ વિકલ્પોની મર્યાદા બતાવનાર છે એટલે સકલાદેશ ત્રણ અને વિકલાદેશ ચાર આમ સાત ભંગ જ થાય છે એ બતાવવા માટે રૂતિ શબ્દ પૂ. ભાષ્યકાર મ. મૂક્યો છે. પ્રશ્ન :- ભાષ્યમાં ‘ વિચિતવ્યમ્' આ શબ્દનો નપુંસકલિંગમાં પ્રયોગ કેમ કર્યો છે? ઉત્તર :- પહેલા.... ‘તત્ર' વૃતુર્વિધ, તથા-વ્યાતિવં, માતૃપાસ્તિવું, સત્પન્નતિ, પર્યાયપ્તિ તિ ” આ પ્રમાણે ભાષ્યમાં નપુંસકલિંગમાં શરૂઆત કરી હતી. હવે આનો ઉપસંહાર કરી રહ્યા છે તો શરૂઆતમાં પર્યાયપ્તિવં શબ્દ નપુંસકલિંગમાં છે. માટે ઉપસંહારમાં નપુંસકલિંગ રાખી ‘ વિચિતવ્યમ્'માં નપુંસકલિંગનો પ્રયોગ કર્યો છે. પ્રશ્ન :- પૂ ભાષ્યકાર મ. સકલાદેશ ત્રણ બતાવ્યા છે તેમ બીજા ચાર વિકલાદેશો છે તે ભાષ્ય દ્વારા કેમ ન કહ્યા ? “દેશાદેશથી વિકલ્પ કરી લેવા આવી ભલામણ કેમ કરી ? ઉત્તર :- આ ભલામણ કરવામાં પૂ. ભાષ્યકાર મ.નો આ અભિપ્રાય લક્ષિત થાય છે (જણાય છે) કે–સકલાદેશના સંયોગથી ચાર વિકલાદેશની સિદ્ધિ સારી રીતે થઈ શકે છે. ૧. તત્ત્વાર્થસૂત્ર પૃ. ૩૯૯
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy