SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ ‘સ્વાત્' શબ્દને આગળ રાખીને ધર્મ-ધર્મીના નિર્દેશ કરનાર વાક્યનો પ્રયોગ કરાય છે. દા. ત. ‘સ્થાપિ ઘટ' આવો વાક્યપ્રયોગ પણ વકારથી યુક્ત કરાય છે. થાય છે. તે આ પ્રમાણે સ્વાત્ અક્સ્ચેવ ઘટ; स्यात् नास्त्येव घटः આ પ્રમાણે ‘સ્યાત્' પૂર્વક ધર્મ-ધર્મીનો નિર્દેશ કરતા વકારવાળા વાક્યનો પ્રયોગ ૪૯૧ ખરેખર અપિ શબ્દની જરૂર નથી પણ વકારની જ જરૂર છે અને સપ્તભંગીમાં કોઈ પણ ભંગમાં ‘પિ' તો આવતો જ નથી પણ ‘ધ્વજ આવે છે. અથવા સ્યાત્ શબ્દના અર્થ જેવા અર્થવાળા શબ્દ સહિત ધર્મ-ધર્મીના નિર્દેશવાળા વાક્યનો પ્રયોગ કરાય છે. દા. ત. સ્વરૂપે થયેઽસ્ત વ पररूपेण घटो नास्ति एव વાક્યમાં પ્રયોગ કરાયેલ વકાર એ ત્રણ અર્થવાળો વકાર છે. એમાંથી કોઈ પણ અર્થવાળો હોય પણ તે ગુણભાવ અને પ્રધાનભાવની સ્પષ્ટતા માટે છે. એટલે કે ‘સ્વાત્' શબ્દ અવિશેષ અનંતધર્માત્મકપણાનો પ્રતિપાદક હોવા છતાં પણ વકાર બોલવાના બળથી કથંચિત્ અસ્તિત્વરૂપ અંશનો પ્રાધાન્યપણે અને બીજા અંશનો ગૌણપણે પ્રતિપાદક બને છે. આ રીતે વકારની સાર્થકતા છે. બીજાઓ એકાંતવાદના આગ્રહવાળા એક એક ધર્માત્મક જ વસ્તુ છે આવું સ્વીકારે છે. તેમને સમજાવવા માટે ‘કથંચિત્' શબ્દનો પ્રયોગ કરીએ તો નિયમકારી ધર્મ અને પ્રત્યેનીક (વિરોધી) પર્યાય ધર્મના સંબંધવાળી વસ્તુ છે આવો બોધ થાય. સ્યાત્ સત્ કથંચિત્ સત્ છે, સ્યાત્ અનિત્ય કથંચિત્ અનિત્ય છે. સ્યાત્ નિત્ય કથંચિત્ નિત્ય છે. આ પ્રમાણે ધર્મીની પણ સ્યાદ્વાદી પ્રતિજ્ઞા કરી શકે છે. આ પ્રમાણે ‘સ્યાત્ સત્' ‘સ્યાદ્ અનિત્યં' ‘યાદ્ નિત્યં' આ રીતે અપેક્ષાએ અનિત્યત્વાદિધર્મરૂપ વસ્તુ છે અને આ જ પ્રમાણે ધર્મી પણ છે આવી સ્યાદ્વાદી પ્રતિજ્ઞા કરે છે. કેમ કે આ પ્રતિજ્ઞાને સિદ્ધ કરનાર હેતુ અને દૃષ્ટાંત સુલભ છે. અર્થાત્ ધર્મી અને ધર્મ બંનેમાં સ્યાદ્વાદ છે. એ સ્યાદ્વાદની સિદ્ધિ માટે જોઈએ તેટલા હેતુ અને દૃષ્ટાંત છે. એટલે સ્યાદ્વાદી ‘યાત્ મત્સ્યેવ ધટ' આવી પ્રતિજ્ઞા કરી શકે છે. આથી દ્રવ્યાસ્તિક નયની અર્પણાથી પ્રત્યભિજ્ઞા પ્રધાન હોવાથી ‘સોયં' આ પ્રમાણે
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy