SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ તત્ત્વાર્થ સૂત્ર બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે વ્યાળિ સત્ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યં સત્ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત બે દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યે સત્ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યાપ્તિ-સત્ પ્રકાર ૩* એકત્વરૂપ સદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ એક દ્રવ્ય સત્ છે. દ્વિત્વરૂપ સદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ બે દ્રવ્ય સત્ છે. બહુત્વરૂપ સદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ ઘણાં દ્રવ્ય સત્ છે. ટીકા : સત્ત્વને દ્રવ્યાસ્તિક સંગ્રહ નય માને છે. પર્યાર્યાસ્તિકના મતમાં તો સત્ત્વનો અભાવ છે તો ભાષ્યમાં ‘પર્યાયાસ્તિ’ એવી કેવી રીતે કહ્યું ? ઉત્તર :- ભાષ્યમાં પર્યાયાસ્તિકનું ગ્રહણ ધર્મવિષયના સ્યાદ્વાદના જ્ઞાન માટે છે. અર્થાત્ ધર્મ-પર્યાયને લઈને ‘સ્યાદ્વાદ’ છે. શંકા :- દ્રવ્યના સત્ત્વાદિ ધર્મો પર્યાયરૂપે વિવક્ષિત છે, અને પર્યાયને ગ્રહણ કરનાર તે પર્યાયાસ્તિક નય છે. આ રીતે તો સ્યાદ્વાદ ધર્મનો જ વિષય ક૨ના૨ થશે પણ ધર્મીનો વિષય કરનાર નહીં થાય. સમાધાન :- ના, એવું નથી. સ્યાદ્વાદ ધર્મી અને ધર્મ બંનેનો વિષય કરનાર છે. તે આ રીતે અરૂપીત્વ, સત્ત્વ, મૂર્તત્વાદિ રૂપ ધર્મો છે. આ ધર્મો પરિણામી ધર્મી છે તેનાથી અત્યન્ત ભિન્ન નથી. તેથી તે પ્રણાડિકા-ધર્મોના બોધ દ્વારા ધર્મી પણ વિષય છે. સ્યાદ્વાદનો વિષય ધર્મો બને તો ધર્મી અવશ્યમેવ તેનો વિષય હોવો જ જોઈએ. કેમ કે દ્રવ્ય અને પર્યાય સંસૃષ્ટસંબંધવાળા છે. એટલે કે દ્રવ્ય અને પર્યાય બંને સાથે જ રહેનારા છે. આમ સ્યાદ્વાદ દ્રવ્ય અને પર્યાય બંનેનો વિષય કરે છે માટે દ્રવ્ય નય અને પર્યાય નય બંનેનું આલંબન લેવું યોગ્ય છે. આથી જ અહીં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક આ બે નયના જ વિષયવાળી વસ્તુ છે તેનો આશ્રય એવો સ્યાદ્વાદ સિદ્ધ થાય છે. અર્થાત્ બંને નયના વિષયવાળી વસ્તુના આશ્રયરૂપ સ્યાદ્વાદ છે. તાત્પર્ય એ છે કે—ભાષ્યમાં પર્યાયાસ્તિક શબ્દ, પર્યાય નય બતલાવવા માટે જ નથી પણ ધર્મ અને ધર્મીનો કથંચિત્ અભેદ છે. આ જણાવીને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી ★ એક ઘટ દ્રવ્ય પણ સત્ કહેવાય. બે ઘટ અને પટ દ્રવ્ય પણ સત્ કહેવાય. ઘટ, પટ અને મઠ ઘણાં દ્રવ્ય પણ સત્ કહેવાય.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy