SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ તત્વાર્થ સૂત્ર દા. ત. જેમ પ્રશ્નક્ષચોદી પીપળો અને વડ. આ સમાસમાં પ્લેક્ષ (પીપળો) અને ન્યગ્રોધ (વડ) આમ બંને પ્રધાન છે. તેવી રીતે સરસ શબ્દનો દ્વન્દ સમાસ થાય એટલે બંને પ્રધાન બને. કેમ કે ગતિ ક્રિયાના તુલ્ય સંબંધી છે. એક એક માટે જુદા ક્રિયાપદનો ઉપયોગ કરવો પડતો નથી. “સતસતી ત:' “Hક્ષચોધી ત:' એક જ પ્તિના બંને એકસરખા સંબંધી છે તેથી આમાં બંને પ્રધાન છે, અને ક્રિયાનો આશ્રય હોવાથી દ્રવ્ય પ્રધાન બને. કેમ કે ક્રિયાનો યોગ દ્રવ્યમાં હોય છે માટે દ્રવ્ય પ્રધાન છે, ગૌણ નથી. આ રીતે દ્વન્દ સમાસમાં બંને પદાર્થ પ્રધાન છે. કેમ કે પ્લેક્ષ પણ ગતિ છે અને ન્યગ્રોધ પણ છે ગતિની સાથે બંને સરખા સંબંધી છે. અને બંને ક્રિયાનો આશ્રય છે માટે દ્રવ્ય પ્રધાન છે. ગુણવાચક અને ક્રિયાવાચક શબ્દોનો દ્વન્દ સમાસ કરવામાં આવે તો પણ આ દ્વન્દ્ર સમાસ દ્રવ્યને જ કહે છે. તે વાત સિદ્ધ કરે છે. ગુણવાચી શબ્દોનો દ્વન્દ સમાસ- ૨ રસ% = રૂપાણી ક્રિયાવાચી શબ્દોનો દ્વન્દ સમાસ- વર્લેપશ કપક્ષેપળહ્ય = રક્ષેપાક્ષેપો આ રીતે જે ગુણ અને ક્રિયાવાચક શબ્દોનો સમાસ થાય છે તેમાં પણ શબ્દશક્તિનો સ્વભાવ હોવાથી ગુણો દ્રવ્યરૂપ જ કહેવાય છે. કેમ કે એ ગુણો અતિ ક્રિયાના સંબંધવાળા છે. એટલે કે દ્વન્દ સમાસથી જે કહેવાય તેનો ક્રિયા સાથે સંબંધ હોવાથી તે દ્રવ્ય જ હોય છે પણ ગુણ નથી હોતો એવો નિયમ હોય છે. જો ગુણવાચક શબ્દોનો સમાસ દ્રવ્યનો અભિધાયક છે એમ માનવામાં ન આવે તો ગુણાદિનો દ્વન્દ સમાસ થાય જ નહિ. અહીં આ પ્રકરણમાં આત્મા એ વિશેષ્યરૂપ દ્રવ્ય છે. સત્ત્વ અને અસત્ત્વ એ ગુણવાચી છે. આથી ગુણનું અભિધાન ગુણીની સાથે અભેદ ઉપચારથી થાય છે. માટે “આત્મા સત્ છે', આત્મા અસત્ છે. આવી રીતે જ બોલાય માટે દ્વન્દ સમાસ થાય નહિ. આ રીતે આત્મા એ દ્રવ્ય પ્રધાન છે અને સત્ત્વ, અસત્ત્વ ગુણ ગૌણ છે. યુગ૫૬ વિવણિતના પ્રતિપાદનમાં તત્પર એવા સત્ શબ્દ અને અસત્ શબ્દ ગુણવચન જ છે પણ દ્રવ્યવચન નથી માટે સત્ અને અસત્ શબ્દનો દ્વન્દ સમાસ સંભવી શકે નહિ. શંકા :- સ્યાદ્વાદ ગુણવિષય જ છે એવું નથી. દ્રવ્યમાં પણ સ્યાદ્વાદ છે. દા. ત. જેમ યાત્ પટ: થાત્ ધટ: અહીં શંકા કરનારનો ભાવ એ સમજાય છે કે–એક વસ્તુમાં કોઈપણ નક્કી દ્રવ્યરૂપે તેના સ્વરૂપનું વિધાન કરાતું હોય તો બે દ્રવ્યના આશ્રયથી સ્યાદ્વાદમાં દ્રવ્યવાચક બે પદોનો દ્વન્દ્ર સમાસ થઈ શકે છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy