SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ સૂત્ર-૩૧ ૪૨૯ દ્રવ્યથી પૃથક, ગુણ, કર્માદિ કોઈ વસ્તુ છે જ નહિ. દ્રવ્યથી જુદો ગુણ નથી. રૂપ, રસાદિનું જ્ઞાન દ્રવ્ય દ્વારાએ જ થાય છે. એકલાં રૂપ, રસાદિ પ્રાપ્ત થતાં જ નથી. એટલે જ કહ્યું કે દ્રવ્ય દ્વારા ઉપલબ્ધિનો વિષય બનતાં રૂપ, રસાદિ દ્રવ્યવૃત્તિમાત્ર છે અર્થાત્ દ્રવ્યનો જ પરિણામ છે આવો નિશ્ચય થાય છે પરંતુ દ્રવ્યથી ભિન્ન જાતિરૂપે તેનું જ્ઞાન થતું નથી. રૂપ, રસાદિનું જ્ઞાન દ્રવ્યાકારે જ થાય છે પણ દ્રવ્યથી જુદા છે તેવું ભિન્ન જાતિરૂપે જ્ઞાન થતું નથી. માત્ર એટલું જ છે કે ચક્ષુ આદિ ગ્રહણ કરનારના ભેદથી દ્રવ્યની તે રૂપાદિ વૃત્તિઓ જુદી પડે છે. ચક્ષુથી પેદા થતા જ્ઞાનના વિષયપણાને પ્રાપ્ત થયેલું દ્રવ્ય એ જ રૂપ છે, રસનાથી ગ્રહણ થતું દ્રવ્ય એ જ રસ છે, સ્પર્શેન્દ્રિયથી પ્રાપ્ત થતું દ્રવ્ય જ સ્પર્શ છે, ઘ્રાણેન્દ્રિયથી ગ્રહણ થતું દ્રવ્ય જ ગંધ છે. એટલે દ્રવ્યનાં રૂપ, રસાદિ પરિણામો જુદાં પડે છે તેથી દ્રવ્યનો કોઈ ભેદ પડતો નથી. દાતજેમ પિતા, પુત્ર, મામા આદિ અનેક સંબંધીઓના સંબંધથી વિશિષ્ટ (યુક્ત) પુરુષ. - એક જ પુરુષ છે. તે પિતા પણ કહેવાય, પુત્ર પણ કહેવાય, મામા પણ કહેવાય. અપેક્ષાભેદથી એક જ વસ્તુનો અનેક પ્રકારે વ્યવહાર થાય છે. પોતાના પુત્રની અપેક્ષાએ તે જ પુરુષ પિતા કહેવાય છે, પોતાના પિતાની અપેક્ષાએ તે જ પુરુષ પુત્ર કહેવાય છે. ભાણેજની અપેક્ષાએ તે જ પુરુષ મામા કહેવાય છે. એટલે જે એક પુરુષ છે તે જ પિતા છે, તે જ પુત્ર છે, તે જ મામા છે. આમ અનેક સંબંધીઓના સંબંધો હોવા છતાં પિતાપુરુષ પણ એ જ છે, પુત્રપુરુષ પણ એ જ છે, માતલપુરુષ પણ એ જ છે. પુરુષમાં કોઈ ભેદ નથી. પિતા-પુત્રાદિ રૂપે તે જ પુરુષનો વ્યવહાર કરાય છે તેવી રીતે રૂપ, રસારિરૂપે દ્રવ્યનો જ વ્યવહાર કરાય છે. રૂપરૂપે પણ તે જ દ્રવ્ય છે, રસરૂપે પણ તે જ દ્રવ્ય છે તેમાં કોઈ ભેદ નથી. અભિન્ન એવા એક જિનદત્ત આદિનો જન્ય-જનક ભાવાદિ અનેક સંબંધની અપેક્ષાએ પિતા વગેરેનો વ્યપદેશ થાય છે પણ તે જિનદત્તાદિ પુરુષરૂપ વસ્તુથી પિતૃત્વ વગેરે કોઈ જાત્યન્તર અર્થ નથી. કેમ કે પિતૃત્વ આદિ પુરુષમાં જ વૃત્તિ છે. તેવી રીતે દ્રવ્ય પણ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો વિષય થતું રૂપાદિના વ્યપદેશને પામે છે માટે રૂપ, રસ વગેરે દ્રવ્યથી અર્થાન્તરભિન્ન નથી. તે બધાં દ્રવ્ય જ છે. માટે દ્રવ્યથી જુદા કોઈ ગુણ નથી. દ્રવ્યથી જુદું કર્મ નથી કર્મ પણ દ્રવ્યથી ભિન્ન નથી. કેમ કે ક્રિયા તો વિસસા કે પ્રયોગની અપેક્ષાવાળો દ્રવ્યનો ૧. પૃ. ૩૭ જુઓ.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy