SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ તત્ત્વાર્થ સૂત્ર રસાદિ દ્રવ્યની વૃત્તિ માત્ર છે. આવું અવધારણ થાય છે પણ દ્રવ્યથી ભિન્ન જાતિરૂપે રૂપ, રસાદિનું અવધારણ થતું નથી. કિંતુ ચક્ષુ આદિ જુદી જુદી ઇન્દ્રિયોના ગ્રહણના ભેદથી તે દ્રવ્યની વૃત્તિઓનો જ ભેદ પડે છે. જેમ એક જ પુરુષની બાપ-કાકા વગેરે જે વૃત્તિઓ છે તે પુરુષથી ભિન્ન નથી તેમ દ્રવ્યની રૂપ, રસાદિ જે વૃત્તિઓ છે તે દ્રવ્યથી જુદી જુદી નથી માટે દ્રવ્ય જ છે, ગુણપર્યાય નથી." કોણ કોણ કોણ દ્રવ્ય.. કોણ ? આમ દ્રવ્યાર્થિક નય દ્રવ્યને પદાર્થ માને છે પણ જે વ્યવહાર થાય છે તેને નિભાવવા માટે કહે છે કે દ્રવ્ય જ ગુણ-પર્યાયથી કહેવાય છે કેમ કે ભવનથી ગુણ અને પર્યાય જુદા નથી, ભવન એ ખુદ દ્રવ્ય જ છે. ભવનના છ વિકારો બીજી બીજી અવસ્થારૂપે પ્રગટ થતું તે દ્રવ્ય જ ઉત્પન્ન થાય છે, છે, બદલાય છે, વધે છે, ઘટે છે, નાશ પામે છે. આ રીતે કહેવાય છે. એટલે આ દ્રવ્ય-ભવનના છ વિકારો છે. (૨) નાયો..થાય છે.... કોણ દ્રવ્ય... (૨) ગતિ......છે દ્રવ્ય.... (૩) વિપરિણમતે...બદલાય છે.... દ્રવ્ય... (૪) વધતિ..વધે છે..... (૫) અપક્ષીયો.... ક્ષીણ થાય છે... દ્રવ્ય... (૬) વિનશ્યતિ વિનાશ પામે છે.....કોણ દ્રવ્ય , () “નાથ' “ઉત્પન્ન થાય છે એ ક્યારે કહેવાય? માટીના પિંડથી જુદી વર્તતી જે અવસ્થા છે, એ અવસ્થાનો પ્રકાશ થતો હોય ત્યારે “ઉત્પન્ન થાય છે એમ કહેવાય છે. અર્થાતુ માટીનો પિડ ડફૂલ આદિ પ્રગટ અવસ્થાઓને પ્રાપ્ત કરે ત્યારે પિણ્ડ, ડફૂલ યાવતું ઘટ “થાય છે' એમ કહેવાય છે. અર્થાત વ્યાપારવાળી જે ભવનવૃત્તિ છે તે “થાય છે' કહેવાય છે. પિડનું શૂલરૂપે ભવન, સ્થાસરૂપે ભવન, ઘટરૂપે ભવન અર્થાત્ પિve: પ મવતિ “પિડ ઘટ થાય છે. આ રીતે માટીરૂપ દ્રવ્ય જ ઘટરૂપ બીજી ૧. જુઓ તત્ત્વાર્થ, અધ્યા ૫ | સૂ. ૩૧ના ભાષ્ય પાંચની ટીકામાં (મુદ્રિત પૃ. ૪૦૪). નિરક્તકાર “યાસ્ક' આ પ્રમાણે અર્થ કરે છે – 'षड्भावविकारा भवन्तीति वार्ष्यायणि:(૧) ગાયતે (૨) પ્તિ (૩) વિપરિણમતે (૪) વક્તિ (૫) અપક્ષીય (૬) વિનતીતિ | ગાયત તિ पूर्वभावस्य आदिमाचष्टे । अस्तीति उत्पन्नस्यावधारणम् । विपरिणमते इति अप्रच्यवमानस्य तत्त्वाद् विकारः । वर्धते इति स्वाङ्गाभ्युच्चयं सांयोगिकानां वाऽर्थानाम् । अपक्षीयते इति अनेनैव व्याख्यातः प्रतिलोमम् । કિનારયતિ અપનાવલિમાવો | નયચક્ર પૃ. ૫૦૨ અર્થાતુ વાર્ષાયણિ આચાર્ય પદાર્થોના છ વિકારોનો-પરિણામોનો નિર્દેશ કરે છે. (૧) નાયરે - એ પદ પૂર્વ ભાવનો—ઉત્પન્ન થયેલા પદાર્થનો પ્રારંભ સુચવે છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy