SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ ૩૨૯ ૩. શું વિનાશ પામતા ઘટાદિનો અભાવ કરે છે ? વિનાશની આ ત્રણ ગતિ છે. ક્યાં તો વિનાશ પામતા પદાર્થનો વિનાશ સ્વભાવ કરે, ક્યાં તો સ્વભાવાન્તર કરે, ક્યાં તો અભાવ કરે. આ ત્રણે ગતિને ક્રમથી વિચારીએ. (૧) વિનશ્યમાનભાવ સ્વભાવ કુર્યા આ પહેલો વિકલ્પ અવ્યતિરેક (વિનાશનો વિનશ્યમાન સ્વભાવ) પક્ષ છે. તે અતિશૂલ જ છે. કારણ કે મુગરાદિ જે વિનાશને હેતુ છે તે શું વિનાશ પામતા ઘટાદિને વિનાશ પામવાના સ્વભાવવાળા કરે છે ? આ પ્રશ્નનો જવાબ “હા'માં આપી શકાશે નહીં. કેમ કે મુગર પાતથી પહેલા ઘટનાં જે કારણો કુંભાર, ચક્ર આદિ છે તેનાથી ઘટ પહેલા ઉત્પન્ન થયેલા જ છે. ઉત્પન્ન થતો પદાર્થ પોતાના સ્વભાવવાળો જ ઉત્પન્ન થાય છે. આમ ગરમ સ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે. એટલે વિનાશ પામવાના સ્વભાવવાળો જ ઘટ ઉત્પન્ન થયેલો છે. ઉત્પન્ન થયેલાને શું ઉત્પન્ન કરવાનું ? એ તો અકિંચિત્ છે. આથી મુક્મરાદિ વિનાશ પામતા ઘટાદિને વિનશ્વર સ્વભાવવાળા કરી શકતા નથી. - નાશ પામી રહેલ ઘટાદિ અને વિનાશ એક જ છે. એટલે આ અવ્યતિરેક પક્ષ છે. નાશ પામી રહેલ પદાર્થ અને નાશ બંને જુદા નથી. પદાર્થ તેવા સ્વભાવવાળો જ ઉત્પન્ન થયો છે. માટે નાશ્ય ને નાશ અવ્યતિરિક્ત છે, ભિન્ન નથી. તો મુગરાદિ તેનો નાશ શું કરે ? આ રીતે વિનાશની વિનશ્યમાન ભાવ સ્વભાવે કુર્યાત્ આ ગતિ બની શકતી નથી. (૨) વિનશ્યમાન ભાવ સ્વભાવાન્તરં કુર્યાત આ બીજો વિકલ્પ વ્યતિરેક પક્ષ છે. વિનાશના હેતુ જે મુગરાદિ છે તે શું વિનાશ પામતા ઘટાદિનો બીજો સ્વભાવ કરે છે ? તેનો જવાબ પણ છે ‘ના’ કારણ કે તદવસ્થ, અવિચલ, વિનાશી ઘટાદિનો વિકાર પણ સંભવતો નથી તો તેના સ્વભાવનો નાશ તો થાય જ ક્યાંથી ? તો મુગરાદિ સ્વભાવાન્તર કેવી રીતે કરી શકે ? તદવસ્થને લઈને આપત્તિ ઘટ જો તદવસ્થ તેની તે અવસ્થામાં રહેલો હોય તો પહેલાની જેમ ઘટની ઉપલબ્ધિ થવી જોઈએ અને જલહરણાદિક અર્થક્રિયા કરવી જોઈએ ! આપત્તિ નિવારણ અનિત્ય એવા ઘટાદિના અર્થાન્તર કપાલાદિ જ ઘટનો વિનાશ છે. અને તેથી વિનાશ હેતુ મુક્મર વડે નિષ્પાદિત જે કપાલાદિ છે તે કપાલાદિથી ઘટાદિ ભાવ ઢંકાયેલ હોવાથી પૂર્વવતુ ઘટાદિની ઉપલબ્ધિ થતી નથી.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy