SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ : સૂત્ર-૧ જ રહી કે જેનાથી આ આકારે ધર્માસ્તિકાયનો ઉત્પાદ થયો, અને જ્યારે ચૈત્રનો ગતિ વ્યાપાર બંધ થયો ત્યારે ધર્માસ્તિકાયની ગતિમાં સહાયરૂપ જે અવસ્થા હતી તે દૂર થઈ એટલે વિનાશ થયો. આ રીતે પણ ધર્માસ્તિકાય ઉત્પાદ અને વિનાશ સિદ્ધ છે. તેથી “કાય' શબ્દનો આપત્તિ અર્થ ઘટી જાય છે. આ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ સમજી લેવું. ફરક માત્ર આટલો જ કરવાનો કે ધર્માસ્તિકાયમ ગતિને લઈને વિચાર કર્યો તો અધર્માસ્તિકાયમ ગતિને બદલે સ્થિતિને લઈને અને આકાશાસ્તિકાયમાં ગતિને બદલે અવગાહનાને લઈને વિચાર કરવો. આમ તેમાં પણ ઉત્પાદ-વિનાશ ઘટાવી લેવા. આથી કાય શબ્દના ગ્રહણથી “આપત્તિ અર્થ સારી રીતે જાણી શકાય છે. માટે તિશાસી યશ “તિક્ષાય:' આવો સમાસ થાય અને તેનો અર્થ ધૃવાસી ડાવિનાશવાન થાય. ધર્મશાની ગતિયશ ‘ધતિwાયઃ' એટલે ધર્મ દ્રવ્ય ધ્રૌવ્ય, ઉત્પાદ અને વિનાશવાળું છે. આ જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પણ સમજી લેવું. પુદગલાસ્તિકાયમાં તો ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય પ્રાયઃ સ્પષ્ટ જ છે. આ રીતે સૂત્રમાં ચારે અજીવોની ગણના કરી છે. હવે “આ ચારેનાં લક્ષણ અમે આગળ કહીશું” આ જે ભાષ્યકારે કહ્યું છે તેને જરા સમજી લઈએ. આ ધર્માદિ અજીવોને આગળ ઉપર ગતિ, સ્થિતિ અવગાહ અને શરીરાદિમાં ઉપકાર કરવાપણાના લક્ષણથી અમે કહીશું. આ સૂત્રમાં તો માત્ર તેઓનાં નામ જ કહ્યાં છે. તેઓનાં ચૈત્ર ચાલતો હતો ત્યારે અધર્માસ્તિકાય મદદ કરતો ન હતો, પણ પછી ચૈત્ર ઊભો રહ્યો ત્યારે અધર્માસ્તિકાયે તેના ઉપર ઉપકાર કર્યો. આથી પછીના કાળમાં અધર્માસ્તિકાયમાં કોઈ અતિશય અર્થાત સહાયકતા પેદા થઈ જેણે ચૈત્રને ઊભા રહેવામાં-સ્થિતિમાં મદદ કરી. આ અતિશયરૂપ અવસ્થાવાળો અધર્માસ્તિકાય ઉત્પન્ન થયો, અને જયારે ચૈત્ર ચાલવા લાગ્યો ત્યારે આ અધર્માસ્તિકાય નષ્ટ થયો. આમ અધર્માસ્તિકાયમાં ઉત્પાદ-વિનાશ ઘટી ગયા. જે આકાશપ્રદેશોમાં ઘટ નહોતો ત્યારે તેઓમાં ઘટાવગાહના પરિણામ પેદા થયો નહોતો. જયારે એ આકાશપ્રદેશોમાં ઘટ સ્થાન લીધું ત્યારે તે આકાશપ્રદેશોમાં ઘટને જગા આપવાનો પરિણામ પેદા થયો અને જ્યારે તે પ્રદેશોમાંથી ઘટ લઈ લેવામાં આવે ત્યારે તેમાં ઘટને અવગાહના આપવાનો પરિણામ નાશ પામ્યો. આ રીતે આકાશાસ્તિકાયમાં પણ ઉત્પાદ-વિનાશ ઘટી ગયા. જુઓ સ્યાદ્વાદમંજરી શ્લોક-૫ ની ટીકા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અનાદિ કાળથી છે, અનંતકાળ સુધી રહેશે. તેથી ધ્રૌવ્યાંશ સહેલાઈથી ઘટે છે. ૨. સોનું એ પુદ્ગલ છે. સોનાની બનેલી વીંટી એ સોનાનો ઉત્પાદ છે, વીંટીનું એરીંગ બનાવવું એ વીંટી આકારે સોનાનો નાશ થયો. સોનું કાયમનું કાયમ રહ્યું. આમ વીંટીરૂપે નાશ અને એરીંગરૂપે ઉત્પાદ અને સોનારૂપે ધ્રૌવ્ય ત્રણે પુગલમાં સ્પષ્ટ છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy