SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૬ ૨૨૧ પરમાણુ સાથે ભેદથી સંબંધને પ્રાપ્ત કરે છે. અર્થાત્ પોતાના જુદા અસ્તિત્વને રાખીને યોગ પામે છે. પરમાણુ બીજા પરમાણુ સાથે સંબંધવાળો બને છે પણ બીજા પરમાણુમાં દેશથી પ્રવેશી જતો નથી. કારણ કે પરમાણુ સક્રિય છે અને તેથી જે આકાશપ્રદેશમાં બીજો પરમાણુ રહેલો છે તે આકાશમાં જ તે પરમાણુ પ્રવેશે છે. આમ અણુશંનો અર્થ જ્યાં એક પરમાણુ છે ત્યાં જ તે આકાશમાં બીજો પરમાણુ પ્રવેશે છે આવો થાય છે પરંતુ અણુમાં અણુ પ્રવેશી જાય છે તેવો કોઈ રીતે સિદ્ધ થતો નથી તે આપણે ૩yÍની બે પ્રકારે વ્યુત્પત્તિ દ્વારા સમજી લઈએ. અને આથી શંકાનું સમાધાન પણ થઈ જશે કે પરમાણુ બીજા પરમાણુમાં દેશથી પ્રવેશતો નથી પણ ભેદથી સંબંધ પ્રાપ્ત કરે છે. તે આ પ્રમાણે (૧) તિતિ મિન રૂતિ મજુર્થ કરણ અને અધિકરણમાં પ અર્થમાં તે પ્રત્યય “જે આકાશમાં પરમાણ રહેલો છે તેમાં પ્રવેશે છે'... ઉપર જે વ્યાખ્યા કરી છે તે આ વ્યુત્પત્તિથી કરી છે. (૨) મળી તિષ્ઠતિ તિ પુર્ઘ શાસ્ત્રી પ... ઇત્યાદિથી જ પ્રત્યય. “અણુમાં રહે છે તે અર્થાત્ વિવક્ષાવશથી અણુમાં રહે એટલે અણુસંબદ્ધ કહેવાય. આ બીજી વ્યુત્પત્તિથી અર્થ કરો તો પણ અણુની સાથે અણુનો સંબંધ છે. આ જ વિવક્ષા છે, પણ અણુમાં અણુ પ્રવેશે છે. આવો અર્થ તો થાય જ નહિ. શંકા - પ્રવેશ વગર યોગ નહિ.... જો અણુમાં બીજા અણુનો આવેશ-પ્રવેશ ન હોય તો યોગ બનશે નહિ. જેમ બે આંગળીઓ પરસ્પર પ્રવેશ નહીં પામેલી હોવાથી દેશમાં યોગ નથી તેવી રીતે પરમાણુનો દેશમાં પ્રવેશ ન હોવાથી પરમાણુની સાથે યોગ બની શકશે નહીં. પરમાણુ પરમાણુ સાથે સ્વયં સંયુક્ત થાય છે. આ વ્યવહાર અયોગ્ય છે. કેમ કે અમે પ્રવેશથી યોગ કહેતા નથી પરંતુ પરમાણુ નિરવયવ હોવાથી બે આંગળીની જેમ દ્રવ્યરૂપ બીજા પ્રદેશ સાથે સંયુક્ત નથી. તેને બીજો દ્રવ્યરૂપ પ્રદેશ જોડાયેલો નથી. પરમાણુ પોતે જ યુક્ત થાય છે આટલું જ અમે કહીએ છીએ. અનાવિકૃત્વાન્ - હેતુ અનેકન્તિક છે. ૧. અહીં જે “મેન' “ભેદથી' આ શબ્દપ્રયોગ છે તે સ્કંધથી છૂટા પડેલા પરમાણુઓ માટે જ છે એવું નથી તેથી અહીં ભેદ શબ્દનો અર્થ એક પરમાણુનો બીજા પરમાણુ સાથે યોગ થાય છે, તે બંનેનો ભેદ રહે છે અને યોગ થાય છે. આ સમજણ આપના માટે છે. અને તેથી જ એક પરમાણુમાં બીજા પરમાણુના પ્રવેશની મનાઈ કરી. માટે જ આગળ મજુરચંનો અર્થ કરે છે તેનાથી સમજાય છે કે સ્કંધમાંથી છૂટો પડેલો (ભેદથી) બે પરમાણુનો યોગ છે તે અહીં વિવક્ષિત નથી. સ્કંધથી છૂટો પડેલો એ પરમાણુના યોગને પ્રાપ્ત કરે છે ત્યાં ભેદથી યોગ થયો એમ કહી શકાય પણ અહીં તે વિવક્ષિત નથી.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy