SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ તત્ત્વાર્થ સૂત્ર હવે પૂ. ભાષ્યકાર મ. આકાશ કયાં દ્રવ્યોનો કેવી રીતે ઉપકાર કરે છે તે બતાવે છે. ભાષ્ય - ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને અંદર પ્રવેશ આપીને તથા પુદ્ગલ અને જીવોને સંયોગ અને વિભાગ વડે પણ ઉપકાર કરે છે. ટીકાઃ ધર્માધર્મના પ્રદેશો લોકના છેડા સુધી લોકાકાશના પ્રદેશોની સાથે નિર્વિભાગપણે રહેલા છે તેથી ધર્માધર્મને પોતાની અંદર અવકાશ આપવા વડે ઉપકાર કરે છે. કેમ કે ધર્માધર્માસ્તિકાય લોકાકાશના પ્રદેશની અંદર રહેલા છે. તેથી અલોકમાં ધર્માધર્મના પ્રદેશોનો સંભવ જ નથી. આનો મતલબ એ લાગે છે કે ધર્માધર્માસ્તિકાયના પ્રદેશો સતત વિસ્તૃત છે એમાં પ્રચય નથી તેમ જ સંકોચ નથી અને લોકાકાશમાં વ્યાપ્ત છે એટલે આકાશપ્રદેશાભ્યન્તરવર્તિ જ માનવા પડે. તેથી ધર્માધર્મને આકાશ અંદર પ્રવેશ આપવા વડે ઉપકાર કરે છે તેમ કહ્યું. પુદ્ગલ અને જીવના પ્રદેશો સ્વલ્પતર અસંખ્યય પ્રદેશમાં વ્યાપીને રહ્યા છે. અર્થાત્ લોકાકાશના સર્વ પ્રદેશો સાથે વ્યાપક નથી. પણ અમુક પ્રદેશોમાં જ વ્યાપક છે એટલે ધર્માધર્મની જેમ નિર્વિભાગપણે રહેલા નથી તથા ક્રિયાવાળા છે એટલે જ ક્યારેક કોઈ બીજા સ્થળે રહેલાં અવગાહ છે જ નહીં અને તેથી તેઓ આગળ નવમા સુત્રની ટીકામાં જ્યારે પ્રશ્ન કરાયો કે જો અવગાહને આકાશનું લક્ષણ ન સમજવું કારણ કે તે માત્ર લોકાકાશમાં જ છે ત્યારે વાદીએ કહ્યું કે અલોકાકાશમાં અવગાહ નહીં માનો તો તે અનાકાશ થઈ જશે. આ આપત્તિને તેઓએ ઈષ્ટપત્તિ કહી છે અને કહ્યું છે કે–જેમ ધર્માદિ બધાં દ્રવ્યોની અનાદિ સંજ્ઞા છે તેમ અલોકાકાશ એવી સંજ્ઞા પણ અનાદિકાલથી છે. સાથે જ તેઓએ અલોકાકાશ વિષેના બે મતના ખંડન કર્યાં છે. તે આ પ્રમાણે– (૧) પૃ. ૩૩૦માં ‘અને મચ' કહીને અવગાહલસણ અલોકાકાશમાં ઘટી શકતું નથી તેથી ત્યાં લક્ષણ ઘટાવવા માટે અવગાહ આપવાની શક્તિ છે. આમ અવગાહલક્ષણ આખા આકાશનું છે તે મત. (૨) “અરે' કહીને જ બીજે મત ઉપચાર કરીને કહે છે કે આકાશની જેમ આકાશ છે શુષિલક્ષણ દેખાય છે માટે. અહીં આકાશમાં શુષિરદર્શન છે તેમ અલોકાકાશ પણ આકાશ છે એટલે તે પણ શુષિરરૂપ છે. આ બંને મતનું આ ચાલુ સૂત્રમાં સુ કહીને ખંડન કરી રહ્યા છે. ૧. તે ધર્માદિનો ક્યાંયથી પ્રવેશ નથી પરંતુ અરૂપીપણાથી હંમેશા આકાશથી અભિન્નવૃત્તિપણે અવસ્થાન છે અને જીવ તથા પુદ્ગલ વ્યાપક ન હોવાથી એમનો સંયોગ અને વિભાગ છે. ભાષ્યમાં રહેલો “ચ કાર જીવ અને પુદ્ગલરૂપ ઉપકાર્યના સંગ્રહ માટે છે. એટલે જીવ અને પુગલ ઉપર ધર્માધર્મનો ઉપકાર છે અને અન્તઃપ્રવેશ' શબ્દનો અર્થ આકાશપ્રદેશથી અન્યૂન, અનતિરિક્તવૃત્તિ ધર્માધર્મ છે તેથી જીવાદિના પ્રતિપ્રદેશસમાન અવગાહનો અભાવ છે માટે આવો અંતઃપ્રવેશ જીવાદિનો નથી...... स्वमध्ये धर्मादिप्रवेशदानेन......तत्त्वा० हारिभ० पृ० २२१ मुद्रित तत्त्वा० पृ० ३४०. ભાષ્યમાં રહેલા “સંભવ' શબ્દથી આ અર્થ બતાવ્યો છે. જુઓ सम्भवग्रहणं अलोके तदसंभवात्....तत्त्वा० हारिभ० पृ. २२१.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy