SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ • .. • • • • નયમાર્ગદર્શક ( ૧૧ ) ખના હક મુમુવઃ” એ ત્રણ વચને-તે જાતિ અને વચનથી એક જ વસ્તુ છે, એમ એ નય દર્શાવે છે. તેમ જુસૂત્ર નય ઇંદ્ર વિગેરેના નામ સ્થાપના વિગેરે જે નિક્ષેપ ભેદ છે, તેને જુદા જુદા માને છે, અને જે નય આગલ કહીશું, તે અતિ શુદ્ધ હેવાથી જાતિ અને વચનના ભેદથી વસ્તુને ભેદ માને છે અને નામ, સ્થાપના અને દ્રવ્ય-એ ત્રણ નિક્ષેપને માનતા નથી. આ પ્રમાણે જુસૂત્ર નયની પ્રરૂપણા છે. વિશેષ જે નયથી વર્તમાન પર્યાય માત્ર જે ગ્રહણ કરવામાં આવે તેને જુસૂત્ર ન કહેવાય છે, જેમકે દેવને દેવ અને મનુષ્યને મનુષ્ય રૂપે. ભદ્ર નયચંદ્ર, હવે પાંચમા શબ્દ નયનું સ્વરૂપ સાંભળે, અર્થ ને ગેણપણાથી અને શબ્દને મુખ્યપણથી જે માનવામાં આવે, તે શબ્દનય કહેવાય છે, આ નય વર્તમાન વસ્તુને વઘુસૂત્રથી વિશેષ માને છે. પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક એ ત્રણ જાતિ ભિન્ન હેવાથી તેની વાચતા તે નય ભિન્ન માને છે. વળી તે એકવચન, દ્વિવચન અને બહુવચન–એ વચનના ભેદને લઈને અભિધેય–અર્થમાં પણ ભેદ માને છે. આકાશ પુષ્પની જેમ કાર્યસાધક ન હોવાથી નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપને તે ન માનતું નથી, આ નય પાછલના નયથી શુદ્ધ હવાને લઈને વિશેષપણે મનાય છે. સમાન લિંગ તથા વ. નવાલા ઘણુ શબ્દને એકજ અભિધેય શબ્દનય માને છે. જેમ ઇને શક, પુરંદર વિગેરે નામથી કહે છે, તે શબ્દનાય છે. ભદ્ર નયચંદ્ર, આ શબ્દનયને તમારા ધ્યાનમાં રાખજે. જો શબ્દનયની પ્રવૃત્તિ બરાબર લક્ષ્યમાં રાખી હાયતે માનવ હદયમાંથી કેટલીએક શંકા દૂર થઈ જાય છે અને તેથી સિદ્ધાંતનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાય છે.. નયચંદ્ર–ભગવન. એ વાત સત્ય છે. આપના મુખથી શબ્દનયનું સ્વરૂપ સાંભળ્યા પછી મારી કેટલીએક શંકાઓ દૂર થઈ ગઈ
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy