SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ નયમાર્ગદર્શક હ થયે; આ પ્રમાણે જે માનવું, તે સત્તાસાપેક્ષ નિત્ય અશુદ્ધ નામે એથે પર્યાયાર્થિક નય કહેવાય છે. જેમ સંસારી છવને પણ સિદ્ધના જીવના જે છે, જો કે સંસારી જીવને કર્મની ઉપાધિ છે, પણ તેની વિવક્ષા ન કરીએ (તે કહેવાની ઈચ્છા ન રાખીએ) અને જ્ઞાન, દર્શન ચારિત્ર વગેરે શુદ્ધ પર્યાયની વિવક્ષા કરીએ તે તે કપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ નામે પાંચમે પર્યાયાર્થિક નય કહેવાય છે. જેમ સંસાર વાસી છને જન્મ તથા મરણને વ્યાધિ છે, તે જન્માદિક પર્યાય જીવને કર્મના સગથી હોય છે, તે અનિત્ય અને અશુદ્ધ છે, તેથી મેક્ષાથી જીવ તે જન્માદિક પર્યાયને નાશ કરવાને પ્રવર્તે છે–એમ માનવું, તે કર્મોપાધિ સાપેક્ષ અનિય અથલ નામે છઠો પર્યાય કહેવાય છે. ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે પર્યાયાર્થિક નયના છ ભેદ કહેલા છે, તે હમેશાં તમારા હૃદયમાં ધારણ કરી રાખશે. નયથક–ભગવન, આપે પર્યાયાથિક નયના જે છ ભેદ કહ્યા, તે સાંભળી મારા મનની ઘણી શંકાઓ દૂર થઈ ગઈ છે, હવે કૃપા કરી બાકીના નયના લક્ષણે સમજાવે. આનંદસૂરિ આનંદપૂર્વક બેલ્યા–ભદ્ર, આજે વ્યાખ્યાન સમાપ્ત કરવાને સમય થઈ ગયો છે, માટે તે વિષે ઉપગી વ્યાખ્યાન આ વતી કાલે કહેવામાં આવશે. સૂરિવરના આ વચને સાંભળી તત્કાલ નયચંદ્રના કુટુંબના મુખમાંથી આદિશ્વર ભગવાનની જયને પવિત્ર ધ્વનિ પ્રગટ થયા અને તેની આસપાસને તળેટીને પ્રદેશ તે ધ્વનિ અને તેના પ્રતિધ્વનિથી ગાજી ઉઠશે.
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy