SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ૫૧ પહોંચાડે છે ત્યાં તેને શરીર રચના યોગ પુદ્ગલગ્રહણરૂપ આહાર હોય છે. બે વિગ્રહગતિનાં ત્રણ સમયમાંનો પહેલો અને છેલ્લો એ બે સમય આહારના હોય છે અને વચ્ચેનો એક સમય અનાહાર દશાનો હોય છે. ત્રણ વિગ્રહવાળી ગતિમાં પણ બે વિગ્રહવાળી ગતિ અનુસાર સમજવાનું છે. વિશેષમાં એટલું જ કે કાર્મણશરીર વધારામાં ત્રીજો વળાંક લેવડાવી ઉત્પત્તિસ્થાને પહોંચાડે છે. આમાં ચાર સમયમાંના પહેલા અને છેલ્લા એ બે સમયમાં જીવને આહાર હોય છે; પરંતુ પહેલા અને બીજા વળાંકના બે સમય અનાહારક દશામાં હોય છે. સંભવની અપેક્ષાએ કયાંક ક્યાંક પાંચ સમયની ચાર વિગ્રહની ગતિ પણ માનવામાં આવે છે અને - તેના વચ્ચેના ત્રણ સમય અનાહારક દશામાં માનવામાં આવે છે. એક વિગ્રહવાળી ગતિને પાણિમુક્તા, બે વિગ્રહવાળી ગતિને લાખલિકા અને ત્રણ વિગ્રહવાળી ગતિને ગૌમુત્રિકા એ રીતે પણ ઓળખાવાય છે. - ઋજાગતિથી મોક્ષે પહોંચતાં મુમાન જીવ કર્મમુક્ત હોવાથી તેને કાશ્મણ શરીરનો યોગ નથી. ઋજુગતિથી તથા વક્રગતિથી પરભવ ગતિ કરતા જીવને કાશ્મણ શરીરનો યોગ હોય છે; પરંતુ પૂલશરીર ન હોવાથી મનોયોગ અને વચનયોગ એ બે યોગ હોતા નથી. જન્મ, યોનિ અને સ્વામી : સૂત્રઃ - સમૂઈના પપાતા = રૂા सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तधोनयः ॥३३॥ जराऽवण्डपातजानां गर्भः ॥३४॥ नारकदेवानामुपपातः ॥३५॥ शेषाणां संमूर्च्छनम् ॥३६॥
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy