SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તત્વાર્થાધિગમસૂત્ર સૂત્ર: – સર્વદ્રવ્યપર્યાપુ વત્તાય રૂમ અનુવાદ : દ્રવ્ય ને પર્યાય સર્વે જાણે ત્રણે કાળનાં, જ્ઞાન પંચમ કહ્યું કેવલ સર્વજ્ઞ સ્વામી તેહના, કોઈથી રોકાય નહિ ને જાય નહિં આવ્યા પછી, એ જ્ઞાન મળતાં કર્મ ઝરતાં મુક્તિ પામે શાશ્વતી. (૨૧) કેવલજ્ઞાનનો વિષય ? અર્થ : પાંચમા કેવળજ્ઞાનના સ્વામી સર્વજ્ઞ છે, તે જ્ઞાનથી સર્વ દ્રવ્ય અને તેના ત્રણે કાળના પર્યાય જાણી શકાય છે. તે જ્ઞાન કોઈથી રોકાતું નથી, આવ્યા પછી અલોપ પણ થતું નથી, આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જીવના સર્વ કર્મો નાશ પામે છે અને મોક્ષ મળે છે. ભાવાર્થ : કેવળજ્ઞાનનો વિષય સર્વ પર્યાય સહિત સર્વ દ્રવ્યનો છે. તે સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન છે. તેનાથી હાથમાં રહેલ આમળાની માફક ત્રણે કાળના પર્યાયો સહિત સર્વ દ્રવ્ય જણાય છે. તે અપ્રતિહત-આવરણ વિનાનું અને અપ્રતિપાતી-તિરોહિત ન થનારું છે. મતિ આદિ ચાર જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હોય તો પણ તે દ્વારા એક પણ પદાર્થના બધા ભાવો-પર્યાય જાણી શકાતા નથી; કારણ કે એ બધા ચેતનશક્તિના અપૂર્ણ વિકાસરૂપ છે. નિયમ એ છે કે જે જ્ઞાન કોઈ એક વસ્તુના સર્વ ભાવો જાણે છે તે સર્વ વસ્તુના સર્વ ભાવો જાણી શકે છે. આવું પૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાન છે. આ જ્ઞાન ચેતનશક્તિના પૂર્ણ વિકાસનું પરિણામ છે. તેના કોઈ ભેદ પ્રભેદ નથી. કોઈપણ દ્રવ્ય કે કોઈપણ ભાવ એવો નથી કે જે કેવળજ્ઞાનથી ન જાણી શકાય; આમ હોવાથી કેવળજ્ઞાનની પ્રવૃત્તિ સર્વ પર્યાયો સહિત સર્વ દ્રવ્યમાં છે.
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy