SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧૦ મોક્ષનું સ્વરૂપ : સૂત્ર ૧ કેવલજ્ઞાનની ઉત્પત્તિનું વર્ણનઃ મોહ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય પ્રકૃતિના ક્ષયથી કેવલજ્ઞાન થાય છે. સૂત્ર ૨-૩ મોક્ષની વ્યાખ્યા : બંધ હેતુના અભાવ અને નિર્જરાથી સકળ કર્મનો ક્ષય તે મોક્ષ છે. સૂત્ર ૪ મોક્ષના હેતુનું વર્ણન ક્ષાયિક સમ્યકત્વ, કેવલજ્ઞાન, કેવલદર્શન અને સિદ્ધત્વ સિવાયના બાકીના ઔપશમિક આદિ ભાવ અને ભવ્યત્વના અભાવથી મોક્ષ પ્રકટે છે. સૂત્ર ૫-૬ મુમાન જીવની ગતિનું વર્ણન: બંધનનો છેદ, અસંગ, પૂર્વપ્રયોગ અને ગતિપરિણામના કારણે મોક્ષ પ્રકટ થતાં જ જીવ ઊર્ધ્વમાં લોકના અંત સુધી ગતિ કરે છે. સૂત્ર ૭ સિદ્ધ જીવના અનુયોગદ્વારનું વર્ણન ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર્ય, પ્રત્યેક બુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા અને અલ્પ બહુત એ બાર અનુયોગ દ્વાર દ્વારા સિદ્ધ જીવની વિચારણા કરી શકાય છે. 도
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy