SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ તત્વાર્થાધિગમ સત્ર જીવોમાં પુરુષ, સ્ત્રી અને નપુંસક એ ત્રણ વેદ હોય છે. સૂત્ર પર આયુષ્યનું વર્ણન આયુષ્ય અપવર્તનીય અને અનપર્ણનીય એ બે પ્રકારનું છે. તે દરેક બે પ્રકારનાં છે. સોપક્રમ અને નિરુપક્રમ. સોપક્રમ અપવર્ણનીય આયુષ્ય અકસ્માત આદિ કારણે ઘટી શકે છે; જયારે નિરૂપક્રમ આયુષ્યને ઘટવાને અવકાશ નથી. અનપવર્તાય આયુષ્યને ઘટવાનો પ્રશ્ન જ નથી. દેવ, નારક, ચરમદેહી, ઉત્તમપુરુષ અને અસંખ્યાત વર્ષ આયુષ્યવાળાને અનપવર્તનીય આયુષ્ય હોય છે. દેવ, નારક, અસંખ્યાત વર્ષાયુવાળાને નિરૂપક્રમ અનપર્ણનીય આયુ છે; જ્યારે ચરમ દેહી અને ઉત્તમપુરુષને સોપક્રમ અને નિરૂપક્રમ એ બંને પ્રકારના અનાવર્તનીય આયુ હોય છે. : અધ્યાય-૩ નારક અને મધ્યમ લોકના જીવોનું વર્ણન સૂત્ર ૧-૨ નારકપૃથ્વીનું વર્ણનઃ રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા અને મહાતમપ્રભા એ સાત નારકપૃથ્વી છે. તેમાં નારકજીવો વસે છે. સૂત્ર ૩ થી ૫ તેમના સ્વરૂપનું વર્ણનઃ લેશ્યા, પરિણામ, દેહ, વેદના, વિક્રિયા આદિ નિરંતર અશુભ છે. પરસ્પર દુઃખ આપે છે અને પહેલી ત્રણ નરક સુધી સંકલિષ્ટ અસુર પણ દુઃખ આપે છે. સૂત્ર ૬ ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીશ સાગરોપમની છે.
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy