SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ તત્વાર્થાધિગમસૂત્ર ૯. નિઝરાભાવના : તપ્તવહિનાં તાપ થકી જેમ, સ્વર્ણ મેલ તે થાયે દૂર, દ્વાદશ વિધ તપથી આ આતમા, કર્મવૃન્દ કરે ચકચૂર; અણિમાદિક લબ્ધિઓ એનું, આનુષાંગિક કાર્ય ગણાય, દઢપ્રહારી ચાર મહા-હત્યાકારી પણ મોક્ષે જાય છે ૧૦. ધર્મભાવના : સૂર્યચન્દ્ર ઊગે ને વરસે, જલધર જગ જલમય નવ થાય, શ્વાપદ જન સંહાર કરે નહીં, વતિથી નવ વિશ્વ બળાય; શ્રીજિન ભાષિત ધર્મ પ્રભાવે, ઈષ્ટ વસ્તુ ક્ષણમાંય પમાય, કરુણાકર ભગવંત ધર્મને, કોણ મૂર્ખ મનથી નવ હાય ! ૧૧. લોકસ્વરૂપ ભાવના : કટિપર સ્થાપિત હસ્ત પ્રસારિત-પાદ પુરુષના જેવો જેહ, ષડૂ દ્રવ્યાત્મક લોક અનાદિ, અનંત સ્થિતિ ધરનારો તેહ; ઉત્પત્તિ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત તે, ઊર્ધ્વ અધોને મધ્ય ગણાય, લોકસ્વરૂપ વિચાર કરતા, ઉત્તમ જનને કેવળ થાય છે. ૧૨. બોધિદુર્લભ ભાવના : પ્રથમ નિગોદ પછી સ્થાવરતા, ત્રસતા પઍક્રિયતા હોય, મનુષ્યપણું પામીને ધર્મ-શ્રવણથી સમકિત પામે કોય; સુરમણિ સુરઘટ સુરતરુમહિમા, એની પાસે અલ્પ ગણાય, બોધિ રત્નની દુર્લભતા તે, એક જીભથી કેમ કહાય ! પરિષહનું વર્ણન : सूत्रः - मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः ॥८॥ क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याऽऽक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाऽज्ञानादर्शनानि ॥९॥ सूक्ष्मसंपरायच्छद्मस्थवीतरागयोश्चतुर्दश ॥१०॥
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy