SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ તત્વાર્થાધિગમસૂત્ર હોય જ; આ કારણથી પરમાણુ અંતિમ દ્રવ્ય છે, પરમાણુ દ્રવ્યનું કોઈ કારણ નથી, કારણ કે તે અવિભાજ્ય છે; પરમાણુ માત્ર અબદ્ધ અસમુદાયરૂપ છે. સ્કંધ જે પુદ્ગલનો બીજો પ્રકાર છે તે બદ્ધ સમુદાયરૂપ છે. તે કારણની અપેક્ષાએ કર્મ દ્રવ્યરૂપ અને કાર્યની અપેક્ષાએ કારણ દ્રવ્યરૂપ છે. ઉદા) દ્વયણુંક એ પરમાણુનું કાર્ય અને ચણુંક આદિનું કારણ છે. સ્કંધ, અણુની ઉત્પત્તિ : સૂત્ર - સંતવ્ય સ્પદને રદ્દા મેવાણુ મારા भेदसंघाताभ्याम् चाक्षुषाः ॥२८॥ અનુવાદ : સંઘાત ને વળી ભેદથી ઉત્પન સુદ્ધાં નિરખવા, પણ ભેદથી અણુ નિપજે છે, સૂત્ર સાખે ધારવા; ભેદ ને સંઘાતથી ઉત્પન સ્કંધો જાણીએ, નયનથી નિરખાય નિર્મલ, શાસ્ત્ર મર્મ વિચારીએ. અર્થ: સંઘાત, ભેદ અને સંઘાતભેદ એ ત્રણ પ્રકારે સ્કંધ થાય છે. ભેદથી અણ થાય છે. આ ત્રણ કારણથી બનતા સ્કંધ ચક્ષુગ્રાહ્ય અર્થાત્ ઇન્દ્રિયગ્રાહ્ય છે. - ભાવાર્થ : સ્કંધની ઉત્પત્તિ ત્રણ પ્રકારે થાય છે. (૧) સંઘાતમિલનથી (૨) ભેદથી (૩) અને સંઘાતભેદથી, જુદા જુદા બે પરમાણુ ભેગા મળતાં ધણુક બને છે; આમ એક એક પરમાણુ વધતાં ત્યણુક, ચતુરણક......સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશી અને અનંતાનંત પ્રદેશી ઢંધ સંઘાતથી બને છે. મોટા સ્કંધમાંથી છૂટા પડવાથી નાના સ્કંધો-અવયવો બને છે. તે પણ દ્વિપ્રદેશીથી માંડી અનંતાનંતપ્રદેશી હોય છે; છેવટે ઢિપ્રદેશી છૂટા પડતાં અણુ બને છે. કોઈ કોઈવાર એક સ્કંધ તૂટે
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy