SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૧૧ આત્માના પ્રદેશો પોતપોતાના સ્કંધથી અલગ જ થતા નથી એટલે તેમને ફરી ભળવાનો પ્રશ્ન જ રહેતો નથી. દ્રવ્યનું કાર્ય : સુત્ર - વિશેડવII: શરા થwથયોઃ ત્રે રૂા एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥१४॥ असंख्येयभागादिषु जीवानाम् ॥१५॥ प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ॥१६॥ गतिस्थित्युपग्रहो धर्माधर्मयोस्पकारो ॥१७॥ અનુવાદ ઃ લોકાકાશે સર્વ દ્રવ્યો, રહ્યા અવગાહન કરી, ધર્મ ને અધર્મ દ્રવ્યો, પૂર્ણ લોકે રહે ઠરી; એક આદિ પ્રદેશ સ્થાને, પુદ્ગલની અવગાહના. અસંખ્યય ભાગાદિ સ્થાને, જીવની અવગાહના. (૪) પ્રદેશનો સંકોચ થાતો, વિસ્તરે દીપકપરે, શરીર વ્યાપિ જીવ પ્રદેશો એજ ઉક્તિ અનુસરે; જીવાદિના સંચાર સમયે, ગતિ સહાયક ધર્મ છે, સ્થિરતામાં મદદરૂપે, દ્રવ્ય એ જ અધર્મ છે. (૫) અર્થઃ લોકાકાશમાં સર્વ દ્રવ્યો ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાય અને પુદ્ગલ રહેલા છે. તેથી આકાશનું કાર્ય અવગાહના-જગ્યા આપવાનું છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ દ્રવ્યો સંપૂર્ણ લોકાકાશમાં રહેલા છે. અનંતાનંત પંગલની અવગાહના પણ લોકાકાશના અસંખ્યાતમાં પ્રદેશમાં છે. લોકના અસંખ્યાત ભાગમાં જીવની અવગાહના છે; અનંત પુદ્ગલ દ્રવ્ય અનંત જીવોની અપેક્ષાએ દરેકનું અવગાહનાક્ષેત્ર સંપૂર્ણ લોકાકાશ છે. જીવના પ્રદેશ દેહવ્યાપી અને દીપકની માફક સંકોચ વિકાસશીલ
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy