SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ તત્વાર્થાધિગમસૂત્ર નથી; પરંતુ એકબીજાની નીચે છે. અનુક્રમે તે દરેક લંબાઈ તથા પહોળાઈમાં વિસ્તાર પામે છે. સાતે નારકભૂમિ એકબીજાની નીચે હોવા છતાં એકબીજાને સ્પર્શતી નથી; કારણ કે દરેક નારકભૂમિના વચ્ચેના અંતરમાં ઘનોદધિ, ધનવાત, તનવાત અને આકાશ રહેલાં છે. રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે : (૧) સૌથી ઉપરનો ૧૬000 યોજનાનો રત્નપ્રધાનકાંડ () ૮૪000 યોજના મધ્યમનો પંકબહુલકાંડ. અને (૩) સૌથી નીચેનો ૮0000 યોજનાનો જલબહુલકાંડ. આમ પહેલી ભૂમિ ૧,૮૦,૦૦૦ યોજન જાડી છે. બાકીની નારકભૂમિના વિભાગો નથી. તે પછીની - નારકભૂમિની જાડાઈ અનુક્રમે ૧,૩૨,000 યોજન; ૧,૨૮,૦૦૦ યોજ!; ૧,૨૦,૦૦૦ યોજન; ૧,૧૮,૦૦૦ યોજન; ૧,૧૬,૦00 યોજન અને ૧,૦૮,૦૦૦ યોજન એ પ્રમાણે છે. આ દરેક નારકભૂમિનાં આંતરામાં ૨૦,૦૦૦ યોજનાના દરેક એવા સાત ઘનોદધિ વલય કુંડાળા હોય છે; તેની નીચે સાત ધનવાત વલય અને તેની નીચે સાત તનવાત વલય હોય છે. આ તનવાત વલયની નીચે અસંખ્યાત યોજન પ્રમાણ આકાશવલય હોય છે; આકાશ પોતે સ્વયંપ્રતિષ્ઠિત છે. સાતે નરકભૂમિની ઉપર અને નીચેના ૧,૦૦૦ એમ ૨,000 યોજન સિવાયના બાકીના ભાગમાં નરકાવાસ રહેલા છે; જેમાં નારકજીવો વસે છે, રત્નપ્રભાના પહેલા સીમંતક નરકાવાસથી મહાતમપ્રભાના છેલ્લા અપ્રતિષ્ઠાન નરકાવાસ વજના-છરાની ધાર સમાન તીક્ષ્ણ હોય છે, તેમાંના કેટલાક ગોળ, કેટલાક ત્રિકોણ, કેટલાક ચોરસ, કેટલાક હાંડલા જેવા અને કેટલાક લોખંડના ઘડા જેવા એમ જુદા જુદા આકારના હોય છે.
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy