SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (પર – હેવાથી તેને (જગતને) પણ એકસરખું અને નિત્ય રહેતું ન માની શકાય અર્થાત જગત એકસરખું અને એકરૂપે નથી રહેતું માટે બનાવટરૂપ છે, એથી એને કઈ એક બનાવનાર હોવો જોઈએ, એવી અટકળ શી રીતે ખાટી ઠરે? ' અરૂંવા–ભાઈ, તમે તે વળી આ એક નવું જ ધતીંગ કાવ્યું કે- જગત ભલે પ્રવાહીરૂપે રોજ જણાતું હોય, પણ તેની અંદરની દરેકે દરેક ચીજ રોજે રોજ બદલતી હેવાથી જગતને પણ એકરૂપે રહેતું ન માની શકાય અર્થાત્ તે (જગત) બદલાતું હેવાથી બનાવટરૂપે જ મનાય અને તેથી તેને બનાવનાર પણ સિદ્ધ કરી શકાય.” પરંતુ તમારી એ અટકળ પણ તદ્દન ખોટી છે. એ અટકળ પ્રમાણે તે તમેએ નિત્ય માનેલે પરમાણુ (પરમ-આણુ) અને ઈશ્વર સુદ્ધાં એક જાતની બનાવટ જ કરે છે–પરમાણુ પિતે નિત્ય છે એટલે પ્રવાહરૂપે નિત્ય છે, કિંતુ તેની અંદર રહેલા રૂપ, રસ, ગંધ અને સ્પર્શ બદલાયા કરે છે, તે શું તેને તમે અનિત્ય માનશે વા ઈશ્વર કે જેને તમે નિત્ય માને છે તેની અંદર રહેલાં બુદ્ધિ, ઇરછા અને પ્રયત્ન વિગેરે ખાસ ખાસ ગુણો બદલાયા કરે છે, તે શું તેને પણ અનિત્ય માનશે. કદાચ પરમાણુ અને ઈશ્વર એ બને અનિત્ય માનવાની હા પાડે તે એને પણ. કઈ બનાવનાર શેધ પડશે. અને એ રીતે યુગના યુગ ગયે પણ બનાવનારને પત્તો લાગે તેમ નથી. વળી ફક્ત ચર્ચાની ખાતર અમે પૂછીએ છીએ કે તમે જગતને બનાવટરૂ૫ ઠરાવે છે તે (બનાવટ) શું તન્ન સામાન્ય બનાવટ છે કે કોઈ જાતની અસાધારણ બનાવટ છે? કર્તાવા –ભાઈ ! અમે તે એને (જગતને) તદ્દન સામાન્ય બનાવટ માનીએ છીએ. લો, હવે તમારે કહેવું હોય તે કહી નાખે. અકવા–ભાઈ, જે તમે જગતને તદ્દન સામાન્ય બનાવટ માનીને તે વડે કોઈ બુદ્ધિવાળા કરનારની અટકળ બાંધવા જશે, તે તે
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy