SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ બહાર રહેલાઓમાં આ જાતનું મેહનું રાજ્ય પ્રવર્તે છે કે, કમ વિનાને થયા પછી અને નિર્વાણ મેળવ્યા પછી પણ એ મુક્તિને પામેલ આત્મા, સંસારમાં અવતરી અને પિતે જાતે શરીરવાળે બની બીજાને માટે રે થાય છે.” એ તે બીજા દેવેની હકીકત કહી, પરંતુ જિતેંદ્ર દેવ એવા નથી, તેઓ તે નિર્વાણ પામ્યા પછી ફરીને કદી પણ જન્મતા નથી. એ હકીક્તને જ સૂચવવા આ પાંચમું વિશપણ આપેલું છે. એ પ્રકારે જે પૂર્ણપણને પામેલે આત્મા, ઉપર દર્શાવેલા ચારે અતિશયથી યુક્ત હોય અને ફરી વાર નહિ જન્મે એવો મુક્ત હોય તે જ દેવ તરીકે મનાય છે અને એ જ બીજાઓને સિદ્ધિ દેવરાવે છે, પરંતુ બીજો કોઈ રાગવાળો અને નિર્વાણ પામ્યા છતાં અવતાર લેનારે દેવ, કેનું શ્રેય સાધી શકતો નથી—એ જ આ પાંચમાં વિશેષણને પ્રધાન આશય છે. જૈન દર્શનમાં ઈશ્વર કે દેવનું સ્વરૂપ ઉપર જણાવ્યા પ્રમાણે છે. જો કે, નૈયાયિક વિગેરે પણ એ જ પ્રકારના ઈશ્વરને દેવરૂપે રવીકારે છે, કિંતુ તેઓ એ સ્વરૂપ ઉપરાંત ઈશ્વરને કરનાર અને પાળનાર પણ માને છે અને જૈન ઇશ્વરને એનું કામ બાકી ન હોવાથી તદ્દન રાગદેવ વિનાને અને અકરનાર માને છે. ઈશ્વર –વાદ હવે એ બને મતવાળાઓ ઇશ્વરના સ્વરૂપ વિષે આ પ્રમાણે ચર્ચા કરે છે – કર્તવાદી–ઉપર જણાવેલા લેકમાં ઈશ્વરનું જ સ્વરૂપ જણવ્યું છે તે બરાબર છે, પણ તેમાં ઈશ્વરને કરનાર અને પાળનાર નથી કહ્યો એટલી ઉણપ જણાય છે. તમારા કહેવા પ્રમાણે જે દેવે મેક્ષને પામીને પણ ફરીવાર અવતાર ધારણ કરે છે, તેઓને દેવ તરીકે ન માનવા
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy