SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ——(૨૧૩) પદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ છે અને બીજાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ નથી. વળી, જ્યારે સત્વ, યત્વ અને પ્રમેયત્વ વિગેરે ધર્મોને લઈને ઘડાને વિચાર કરવામાં આવે ત્યારે તો એ (ઘડો) હમેશાં સત જ છે; કારણ કે એ ધર્મો વસ્તુ માત્રામાં હોવાથી એ ધર્મોની અપેક્ષાએ પ્રત્યક્ષ પદાર્થ પરરપર સરખે છે માટે એ ધર્મોમાં પિતાની કે પરની કલ્પના થઈ શકતી નથી. હવે આપણે એ ઘડાને જ વિશેષ વિચાર કરીએ –-ઘડે પુદગલેનાં પરમાણુઓથી બનેલું છે માટે -એ, પશ્રિતિકરૂપે સત કહેવાય અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાપરિતકાય, આકાશાસ્તિકાય અને કાળ-એ બધાંને રૂપે અસત કહેવાય. પૌદ્ગલિકપણું એ ઘડાને પિતાને પરધર્મસ્વભાવ છે અને એ પર્યાય, ધર્માસ્તિકાય અને જીવારિતકાય વિગેરે અનંત દ્રવ્યથી તદ્દન છૂટો (વ્યાવૃત્ત) છે અર્થાત્ ઘડાને સ્વપર્યાય એક છે અને પરંપર્યાય અનંત છે. તાત્પર્ય એ કે–ડે પિતાના પૌદ્ગલિકપણાને રૂપે સત, છે અને એ સિવાયનાં બીજાં અનંત દ્રવ્યોને રૂપે અસત છે. વળી, ઘડે પૃથ્વીને બનતો હોવાથી પૃથ્વીરૂપે સત છે અને પાણી, તેજ તથા વાયુ વિગેરેને રૂપે અસત છે. અહીં પણ ઘડાને પિતાને પર્યાય એક છે અને પરપર્યાયે અનંત છે. એ જ રીતે બધે ઠેકાણે સ્વપર્યાય અને પર-પર્યાયની વીગત સમજી લેવાની છે. જો કે ઘડો પૃથ્વીનાં પરમાણુઓથી બનેલ છે, તો પણ તે, ધાતુનો બને છે તેથી ધાતુરૂપે સત છે અને માટી વિગેરેને રૂપે અસત છે. ધાતુમાંય તે, સેનાને બનેલું છે માટે તેનારૂપે સત્ છે અને રૂપું, ત્રાંબું અને સીસું વિગેરેને રૂપે અસત છે. સેનામાં પણ એ -ઘડે ઘડેલા સેનાને બનેલું છે માટે ઘડેલા સોનારૂપે સત છે અને ઘડયા સિવાયના સોનારૂપે અસત છે. ઘડેલા સેનામાં પણ એ ઘડે દેવદત્તે પડેલા સોનાનો બને છે માટે એ રૂપે સત છે અને યજ્ઞદર વિગેરે દેવદત્ત સિવાયના કારીગરે એ ઘડેલા સોનારૂપે અસત છે. એ ઘડો ઘડેલે છે, પણ એને આકાર-મેટું સાંકડું અને વચલા ભાગ પહોળો એવા
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy