SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૨ ) હાય છે ત્યારે એને સુખના ભાગવનાર માનવામાં આવે છે અને મેક્ષમાં એને એવા નથી માનવામાં આવતા તથા તે પહેલા અમુક્ત દશામાં હોય છે અને પછી એને મુક્ત દશામાં આવેલા માનવામાં આવે છે. એ રીતે આત્માના પરિણામેા ફરતા હૈાવાથી એને પણ પરિણામી નિત્ય માનવે જોઇએ. એ જ રીતે આત્માને સુખી અને દુઃખી વિગેરે પણ માનવા જોઇએ. જો એને જરા પણ ફેરફાર પામતેા ન માનવામાં આવે તે એ અમુકતને મુક્ત પણ શી રીતે થઇ શકશે? એ પ્રકારે તદ્દન મેાક્ષના અભાવની તેાબત આવશે. તાપ એ –સાંખ્યાને માનેલે મેક્ષ બરાબર ધરી શકે એવા નથી માટે મે ક્ષને અનંત સુખ અને અનંત જ્ઞાનવાળા માનવે એ વ્યાજખી અને યુક્તિયુક્ત જણાય છે. હવે બૌદ્ધમતવાળાએ મેક્ષ સંબધે જે અભિપ્રાય ધરાવે છે તે આ પ્રમાણે છેઃ—તેઓ કહે છે કે જ્ઞાનની ક્ષણિક ધારા સિવાય બીજો કાઇ જુદા અને સ્થિર રહેનારા આત્મા નથી, તેથી જ્ઞાનમય અને સુખમય મેાક્ષની વાતા કરવી એ તદ્દન ફેકટ છે. જે મનુષ્યા આત્મદર્શી (આત્માને માનનારા) છે તે તે! મુક્તિને મેળવી શકતા જ નથી, તેનુ કારણ આ છેઃ—જે મનુષ્ય, આત્માને સ્થિર અને નિત્ય માને છે તેને આત્મા ઉપર સ્નેહ થાય છે, એ સ્નેહને લીધે તે આત્મદર્શી ભાઇ આત્મસુખામાં અને તેનાં સાધતેમાં દેષો તરફ દષ્ટિ ન કરતાં એકલા ગુણાને જુએ છે અને અમતાપૂર્વક સુખનાં સાધતાનું ગ્રહણ કયે` જાય છે—એ રીતે જ્યાં સુધી આત્મદર્શન છે ત્યાં સુધી સંસાર જ છે. એ વિષે કહ્યું છે કે “ જે મનુષ્ય આત્માને જુએ છે તેને તેમાં હુ” એ પ્રકારે નિત્ય રહેનારા સ્નેહ ચાય છે, એ સ્નેહને લીધે તે, એ સુખામાં તૃપ્તિ પામે છે અને સુખની તૃષ્ણા દાષાને જોવા દેતી નથી. પછી એ આત્મદર્શી મમતાવડે સુખનાં સાધનાનું ગ્રહણ કરે છે તેથી તેને આત્માના અઅિભિનવેશ–અહતના કદાગ્રહ-થાય છે એટલે જ્યાં સુધી આત્મ-દર્શન હેાય ત્યાં સુધી સસાર
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy