SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૬ )—— 6 " " દ્રવ્યરૂપે માને છે. એ એક સમયરૂપ કાળ, દ્રવ્યરૂપ પણ છે અને પર્યાયરૂપ પશુ છે—એ દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે. અત્યાર સુધીના બધા કાળ અને હવે પછીના બધા કાળ-કાળરૂપે એક સરખા હાવાથી એને ( કાળને ) નિત્ય કહેવામાં આવે છે અને એમાં પ્રતિક્ષણે ઉત્પત્તિ અને વિનાશ થતા હેાવાથી એને અનિત્ય પણ કહેવામાં આવે છે—જેમ એક પરમાણુ, એમાં થતા ફેરફારાની અપેક્ષાએ અનિત્ય છે અને કદીપણું એનું પરમાણુપણું ન જતું હોવાથી નિત્ય પણ છે એ જ રીતે આ એક—સમયરૂપ કાળ પણ નિત્ય અને અનિત્ય છે. આ કાળ નામને ભાવ, કાઇ પદાર્થનું નિક કારણુ નથી તેમ પરિણામી કારણ નથી. કિંતુ પોતાની મેળે જ પેદા થતા પદાર્થાંનુ અપેક્ષા—કારણ છે; કારણુ કે ૮ એ પદાર્થો અમુક કાળે જ થવા જોઇએ ' એ જાતના નિયમનું કારણુ કાળ છે. પદાર્થ માત્રમાં વના વિગેરે ક્રિયાને કરનાર કાળ હાવાથી એ, એએને ઉપકાર કરે છે, અથવા પદાર્થ માત્રમાં જણાઇ આવતી ‘ વના ' વિગેરે ક્રિયાઓ ‘કાળ ની હયાતીની નિશાનીએ છે. તત્ત્વાર્થ સૂત્રમાં જણાવ્યું છે કે કાળને લને વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ વિગેરે ભાવા, ચીજ માત્રમાં જણાયા કરે છે. પાતાની મેળે વતા પદાર્થોને વવામાં સહાય આપનારી અને કાળમાં રહેલી એક પ્રકારની શક્તિને ‘વના ' કહેવામાં આવે છે—પ્રત્યેક પદાર્થની પ્રથમ સમયની સ્થિતિનું નામ વના છે. જે કાઈ પદાથ પેાતાને મૂળ સ્વભાવ છેાડ્યા સિવાય કાઇની પ્રેરણાથી કે સહજ જ કાઈ પ્રકારના ફેરફારને પામે—એ ફેરફારનું નામ પરિણામ છે. જેમકે, વૃક્ષનુ મૂળ અને અકુરા એ બધી અવસ્થાએ પરિણામરૂપ છે—અંકુરા હતા, હમણાં શાખા ઊગી છે અને હવે પછી એ ફળશે, એ જ પ્રમાણે આ * જુએ તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય પાંચમાનું ૨૨ મું-સૂત્ર-વર્તના રામ: ક્રિયા પા-ડળને ધ ાઢ્ય ’~~અનુ॰
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy