SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ –– ૧૨૭) ગુમડાં રૂઝાઈ જાય છે, તેમ વનસ્પતિના દેહને પણ ઔષધનું સિંચન કે લેપ કરવાથી તે જ જાતને ફાયદો થતો જણાય છે. જેમ મનુષ્યનું શરીર, રસાયન વિગેરેના સેવનથી બળવાળું અને કાંતિવાળું થાય છે તેમ વનસ્પતિને દેહ પણ ખાસ આકાશના પાણું વિગેરેના સિંચનથી વિશેષ રસવાળો અને કાંતિવાળો બને છે–ખાસ વનસ્પતિઓને માટે એક વૃક્ષાયુર્વેદ પણ લખાએલે છે. વળી, જેમાં સ્ત્રીઓને દેહદ(કેડ) પૂરા કર્યા પછી પુત્રાદિને પ્રસવ થાય છે તેમ વનસ્પતિના પણ કેડ પૂર્યા પછી એને ફૂલ અને ફળ વિગેરે આવે છે. આ પ્રકારે વનસ્પતિના અને મનુષ્યના દેહમાં ઘણું ખરું મળતાપણું આપણે સૌ નજરે જોઈ શકીએ છીએ તે પછી મનુષ્યના દેહમાં જેમ તન્ય વિષે શંકા ઉઠાવી શકાતી નથી તેમ વનસ્પતિના દેહ વિષે પણ એ શંકા શી રીતે ઉઠાવી શકાય ? આ વિષે આથી વધારે બીજી શી દલીલ કરી શકાય? છેવટમાં જેમ જન્મ, જરા, મરણ અને રોગ વિગેરેની હયાતીવાળી સ્ત્રી ચેતનાવાળી છે તેમ અને તે જ કારણથી વનસ્પતિ પણ ચેતનાવાળી છે. હવે એ વિષે બે મત થઈ શકે તેમ નથી. આ પ્રકારે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિએ પાંચમાં ચૈતન્યની હયાતી સાબિત થઈ શકી છે–જે તદ્દત અકાય અને પ્રામાણિકપણાથી ભરપૂર છે અથવા એ પાંચમાં ચેતન્ય હેવાનું પૂર્વને આપ્ત પુ કહી ગયા છે માટે એ પાચેને ચિતન્ય સહિત માનવામાં જરા પણ શંકા લાવવાની જરૂર નથી. હવે જે જીવો બેઈદ્રિય વિગેરે છે અર્થાત્ કરમિયું, કીડી, ભમરે, માછલું, ચકલી, ગાય અને મનુષ્ય વિગેરે છે તેમાં ચૈતન્યની સાબિતી નજરોનજર જણાતી હોવાથી એને લગતી શંકા જરા પણ ઉડી શકતી નથી. હવે જે લે એવી પ્રત્યક્ષસિદ્ધ વાત માટે પણ મતભેદ દર્શાવે છે તેને માટે પણ અહીં થેડું જણાવી દઈએ છીએ–ોઈ એમ કહેવા ઈચ્છે કે એ બેઈદ્રિય વિગેરે છમાં કાંઈ ચૈતન્ય નથી. એ તે ઈદ્રિયોને લીધે જ જે કાંઈ બધું જાણે છે તે જાણી શકે છે. તેનું સમાધાન ઉપર આવી ગયું છે છતાં અહીં
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy