SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (જ્ઞાન વિગેરે), શરીરના ગુણ શી રીતે હેઈ શકે? માટે ખરું જોતાં તે એ જ્ઞાન વિગેરે ગુણે શરીરના હેઈ શકતા જ નથી—એને ગુણી એટલે એ ગુણોને આધાર તે એના જ જે અરૂપી, આકાર વિનાને અને જ્યાં ઇદ્રિ પણ ન પહેચે એવો હોવો જોઈએ, અને તે એ એક આત્મા જ છે માટે “આત્માને” જ માન એ યુક્તિયુકત અને પ્રામાણિક છે અને એ જ્ઞાન વિગેરે ગુણે સૌ કોઈના અનુભવમાં આવે તેવા હેવાથી એ ગુણેને આધાર આત્મા પણ સૌના અનુભવમાં આવે એ સહજ છે. તે હવે સ્પષ્ટપણે એમ જાણે શકાય છે કે “આત્મા” ને માનવાની હકીકત તદ્દન નિર્દોષ અને પ્રામાણિક છે. એથી ઉલટું–જે કાંઈ નાસ્તિકએ આત્માના નિષેધમાં જણાવેલું છે તે તદ્દન ખોટું અને અનેક દૂષણવાળું છે તથા એમાં અનેક વિરોધ પણ છે—જે રીતે “સૂર્ય પ્રકાશ કરતે નથી ” “હું, હું નથી” અને “મારી મા વાંઝણું છે ” ત્યાદિ હકીકતે તદ્દન અસંગત અને વિધવાળી છે તે જ રીતે આત્માને નિષેધ કરનારી હકીકત પણ તેવી જ અસંગત અને વિધવાળો છે. આ વિષે એક જ્ઞાની પુ ગાયું છે કે – . . “આત્માની શંકા કરે, આત્મા પિતે આપ, શંકાને કરનાર તે, અચરજ એ અમાપ.” ' ' વળી, આત્માને સાબિત કરનારા અનેક અનુમાને પણ થઈ શકે છે અને તે આ પ્રમાણે છે – ૧. જેમ ચાલતા રેપને કોઈ ને કોઈ હંકારનારે હવે જોઈએ એમ ઈચ્છા પ્રમાણે ચાલતા (ક્રિયા કરનારા) શરીરને પણ કઈ હંકારનાર હે જોઈએ અને જે એને (શરીરને) હંકારનાર ઠરે એ જ આત્મા છે. * ૨. જેમ સૂતાર વિગેરે કર્તાની પ્રેરણા હેય ત્યારે જ વાંસ વિગેરે સાધને કામ કરી શકે છે તેમ આંખ અને કાનેવિગેરે સાધને પણ કોઈ
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy