SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ ) છે: આત્મા અને કર્મને છૂટા પડવાની ક્રિયાને ‘નિર્જરા કહે છે—તે તપરૂપ છે અને તેના બાર પ્રકાર છે. શુકલ ધ્યાનને ઊંચામાં ઊંચી નિર્જરા ગણવામાં આવે છે; કારણ કે ધ્યાન એ અંદરનુ તપ છે અને તપથી નિર્જરા થાય છે, એમ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે. જે આત્મા દરેક જાતના બંધનથી છૂટા થએલા છે અને પેાતાના મૂળરૂપતે પામેલા છે, એના લેાકને છેડે થએલા નિવાસને ‘ મેક્ષ ’કહેવામાં આવે છે. શાસ્ત્રમાં પણ અંધથી છૂટા થવાને જ મેાક્ષ કહ્યો છે. એ પ્રકારે જન મતમાં નવ તત્ત્વે સમજવાનાં છે. જીવવાદ એ નવું તત્ત્વમાં અગ્ર સ્થાન ધરાવનાર જીવ તત્ત્વ છે, માટે જ સૌથી પહેલું એનુ વિવેચન આ પ્રમાણે કરવામાં આવે છેઃ— * જીવનુ મુખ્ય નિશાન ચૈતન્ય છે અને એ જીવજ્ઞાન વિગેરે ગુણાથી જુદો પણ છે અને એક પણ છે, એને, જ્યાં સુધી એ રાગદ્વેષવાળો હોય ત્યાં સુધી જુદાં જુદાં શરીરેશને પણ ધારણ કરવાં પડે છે. એ શુભ અને અશુભ કર્મના કરનાર છે અને કનાં ફ્ળાના ભગવનાર એ જ છે. જીવનાં ધર્મ અનેક છે, જેમકે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, દુ:ખ, વીય, ભષ્યપણું, અભવ્યપણું, સત્ત્વ, પ્રમેયપણું, દ્રબ્યપણું, પ્રાણધારીપણું, ક્રોધને પરિણામ તથા લાભ વિગેરેના પરિણામ અને સંસારપણું. સિદ્ધન પણું તથા ખીજાથી જુદાપણું વિગેરે. એ બધા ધર્મોથી જીવ તદ્દન જુદા નથી તેમ તદ્દન એક પણ નથી. કિંતુ, જુદો જ માનવામાં આવે ત હું જાણું છું, હું જોઉં છું, હું જાણુતાર છેં, હું જોનાર હ્યું, હું સુખી છું અને હું ભવ્ય બ્રુ. ’–( વિગેરે ), એ પ્રમાણે જીવની સાથે જ્ઞાન અને સુખ વિગેરેને જે એકપણાને આભાસ થાય છે તે શી રીતે થશે ? આ
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy